Maha Gujarat
Patanરાજ્ય

રિમઝિમ વરસતા વરસાદની હેલીમાં પણ વર્ષાગીતોના ભરચક કાર્યક્રમ ‘રિમઝિમ મલ્હાર-૨૦૨૫’ એ જમાવટ કરી

રવિવારની મેઘલી રાતે પાટણ ની પ્રસિધ્ધ સંગીત સંસ્થા ‘ ધ્વનિ સંગીત પરિવાર’ દ્વારા યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત વરસાદના ભીનાં ગીતોનો ‘ રિમઝિમ મલ્હાર- ૨૦૨૫ ‘ કાર્યક્રમ અવિસ્મરણીય બનો રહ્યો. ચિક્કાર સંગીતપ્રેમીઓથી ભરાયેલા ખીચોખીચ હૉલમાં પ્રાચીન તથા અર્વાચીન ફિલ્મી વર્ષાગીતોએ જે રમઝટ જમાવી છે તે જોઈને તો એમ જ લાગે કે ગીત-સંગીતની બાબતમાં પાટણ સદાય જાગૃત રહ્યું છે. હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલય ના સંચાલક અને માર્ગદર્શક ડૉ. સમ્યક પારેખની વ્યક્તિગત દેખરેખ હેઠળ તૈયાર થયેલા નાનાં નાનાં ભૂલકાઓથી માંડીને પરિપક્વ કંઠ ધરાવતા સિનિયર વિદ્યાર્થીઓએ અફલાતૂન જમાવટ કરી દીધી હતી. સંગીતપ્રેમીઓથી હકડેઠઠ ભરાયેલા હૉલ ને નિહાળીને સંસ્થાના પ્રમુખ અશોકભાઇ વ્યાસના હૈયે હરખ માતો નહોતો અને એમની ગીતોની છણાવટને સૌએ મનભેર માણી હતી.

એક એકથી ચઢયાતા વર્ષાગીતોને માન્યા, પ્રાચી, એલિન, દેવલ, ક્રિના, ફ્રેયા, દ્રષ્ટિ, પિહુ, વાણી, હ્રીયા, કેવિન, તત્વમ,પ્રયાગ,મેશ્વા, ધ્યાના, માન્યા ભોજક, વિદિશા મોદી, ઋષિ પટેલ, હરેશભાઈ નાથ, કૃષ્ણા બારોટ, શિખા નાયક, આશા રાવલ, ખ્યાતિ નાયક-ભાવસાર, સાગર સલાટ, ડો.ભાવિન ગઢવી તથા ડો. સમ્યક પારેખ વગેરે એ પોતાના મખમલી મુલાયમ સ્વર માધુર્ય થી પીરસતા જ ગયા. જેમઆકાશના અસંખ્ય તારલાઓમાંથી કયો તારો વધુ પ્રકાશિત છે એ શોધવું અઘરું છે તેમ કયા ગીતની પહેલી વાત કરવી એ અસમંજસમાં પડી જવાય એવું છે. શાસ્ત્રીય સંગીત ની તાલીમ હોય તો સ્વર આપોઆપ નિખરે અને ગીતની અસલ નજાકત પ્રકટ થાય. દાખલા તરીકે કુહુ કુહુ બોલે કોયલીયા, મેઘા છાયે આધી રાત,મેરે નૈના સાવન ભાદો, કાંટો સે ખીચકે યે આંચલ…કોની વાત પહેલી કરવી ?

આ વૈભવસારી કાર્યક્રમમાં ડૉ. વ્યોમેશ શાહ, ડૉ.  હમીદ મન્સૂરી, શ્રી કાનજીકાકા, શ્રીમતી ચંદ્રિકા દર્શક ત્રિવેદીની પરોક્ષ હાજરી રહી હતી. જ્યારે શ્રી સુરેશભાઇ ચુનીલાલ પટેલ, ડૉ. ભાવિન ગઢવી, શ્રી કમલેશ સ્વામી, શ્રી દર્શકભાઈ ત્રિવેદી, શ્રી મહાસુખલાલ મોદી, ડૉ.  સ્મિતાબેન વ્યાસ, ડૉ. અતુલભાઈ અગ્રવાલ, ડૉ. રાજ મહારાજા, શ્રી મનીષ ખમાર વગેરે એ પ્રત્યક્ષ હાજરી આપી કાર્યક્રમને ખૂબ દિલથી માણ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંત્રી શ્રી અતુલભાઈ નાયક, પ્રોજેકટ ચેરમેન શ્રી કિશોરભાઇ રાવલ, શ્રી વિજય ભાવસાર, શ્રી અશ્વિનભાઈ નાયક વગેરે એ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ નું સંચાલન કરતા શ્રી આત્મારામભાઈ નાયી એ બે ગીતો વચ્ચેના અવકાશને શેર શાયરીથી ભરી દઈને કાર્યક્રમને સમૃધ્ધ બનાવી દીધો હતો.

Related posts

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર સહિત ૨૬ કાર્યકરોને મૂક્તિ અપાઇ

museb

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

NGES કેમ્પસમાં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવી

museb

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે. પટેલ પુનઃ વરણી..

mahagujarat

Leave a Comment