Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્ય

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો. અંગદાન મહાદાન કહેવાય છે તો દેહ દાન અંતિમ મહાદાન કહેવાય છે પાટણના અગ્રણી ભાઈઓ જગદીશભાઈ ઠક્કર, લાલેશભાઈ ઠક્કર તથા વિપુલભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કર ઉંમર વર્ષ 86 એ પોતાના મૃત્યુ પર્યાપ્ત પોતાનું દેહદાન આપવાનો સંકલ્પ જાહેર કરેલ છે .આ અંગેનું સંમત્તિ પત્ર- સંકલ્પ પત્ર એમણે ધારપુર મેડિકલ કોલેજને સોંપી દીધેલ છે. સમાજને દાખલ રૂપ આ હકીકત તો છે જ, પરંતુ સાથે પ્રેરણાદાયી પણ છે. સમાજ ના લોકો નું હીત સદાય પોતાના હૈયે રાખનાર દલપતભાઈ સમાજ સેવા માટે હંમેશા તત્પર રહા છે. પોતાની જૈફ ઉંમરે પણ તેઓ શ્રી સમાજ ને લગતી હિતકારી પ્રવૃત્તિઓમાં સદાય પ્રવૃત્ત રહે છે. પોતાના મૃત્યુ પછી પણ સમાજના કામમાં આવવું ,એટલું જ નહીં પણ ઉપયોગી થઈ પડવું એવી પણ મોટી બીજી સમાજ સેવા કઈ હોઈ શકે? “જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી” સમાજ હંમેશા દલપતભાઈ નો રૂણી રહેશે દલપતભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ. (અશોકભાઈ વ્યાસ દ્વારા)

Related posts

શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણ ખાતે બધિર બાળકો એ ઓર્ગેનિક રંગોથી હોળી-ધુળેટી તહેવાર સાથે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી

mahagujarat

પાટણ જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બદલી થયેલ કલેક્ટરશ્રી સુપ્રિતસિંહ ગુલાટી સાહેબનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

mahagujarat

આજે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી.ના દિને યશવિલા સોસાયટીમાં હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

mahagujarat

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

Leave a Comment