Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્ય

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો. અંગદાન મહાદાન કહેવાય છે તો દેહ દાન અંતિમ મહાદાન કહેવાય છે પાટણના અગ્રણી ભાઈઓ જગદીશભાઈ ઠક્કર, લાલેશભાઈ ઠક્કર તથા વિપુલભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કર ઉંમર વર્ષ 86 એ પોતાના મૃત્યુ પર્યાપ્ત પોતાનું દેહદાન આપવાનો સંકલ્પ જાહેર કરેલ છે .આ અંગેનું સંમત્તિ પત્ર- સંકલ્પ પત્ર એમણે ધારપુર મેડિકલ કોલેજને સોંપી દીધેલ છે. સમાજને દાખલ રૂપ આ હકીકત તો છે જ, પરંતુ સાથે પ્રેરણાદાયી પણ છે. સમાજ ના લોકો નું હીત સદાય પોતાના હૈયે રાખનાર દલપતભાઈ સમાજ સેવા માટે હંમેશા તત્પર રહા છે. પોતાની જૈફ ઉંમરે પણ તેઓ શ્રી સમાજ ને લગતી હિતકારી પ્રવૃત્તિઓમાં સદાય પ્રવૃત્ત રહે છે. પોતાના મૃત્યુ પછી પણ સમાજના કામમાં આવવું ,એટલું જ નહીં પણ ઉપયોગી થઈ પડવું એવી પણ મોટી બીજી સમાજ સેવા કઈ હોઈ શકે? “જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી” સમાજ હંમેશા દલપતભાઈ નો રૂણી રહેશે દલપતભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ. (અશોકભાઈ વ્યાસ દ્વારા)

Related posts

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

પાટણના નગરદેવીના પ્રાચીન મંદિરમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

museb

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

યોગાંજલિ કેળવણી મંડળમાં ગુજરાત સેવા સેતુ દ્વારા પાટણ ,બનાસકાંઠા અને મહેસાણાની સ્વૈચ્છિક સંસ્થાઓની તાલીમ યોજાઈ

mahagujarat

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ.પંડયા અભ્યાસગૃહ એલ્યુમીની એસોસિએશન’ની સ્થાપના કરાશે

museb

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે. પટેલ પુનઃ વરણી..

mahagujarat

Leave a Comment