Maha Gujarat
Other

પાટણનું ઘરેણું એવા ત્રણ દરવાજાની હાલત સુધારવા શ્રી હર્ષ કીલાચંદે સૂચન કર્યુ કીલાચંદ પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવા ખાત્રી આપી

દેશના જાણિતા ઉદ્યોગપતિ પાટણના વતની શેઠશ્રી કીલાચંદ પરિવારના શ્રી હર્ષ કીલાચંદ ગઇકાલે પાટણની મુલાકાતે આવેલ. આ પ્રસંગે તેમણે પાટણના પ્રખ્યાત હેરીટેઝ ત્રણ દરવાજાની મુલાકાત લીધી હતી. આ ત્રણ દરવાજા ઉપર કીલાચંદ ટાવર આવેલ છે. શેઠશ્રી કીલાચંદ પરિવાર દ્વારા વર્ષો પહેલા આ ટાવર બંધાવી તેની બંને બાજુ ઘડીયાળ મૂકવામાં આવેલ. રાઉન્ડથી ક્લોક આ વિશાળ ઘડીયાળના સમય મુજબ ટકોરા વાગતા હતા. અગાઉ કોટ માત્ર વિસ્તારમાં સિમીત સમગ્ર પાટણ શહેરમાં તે સંભળાતા હતા.
શ્રી હર્ષ કીલાચંદે ર્જીણ થયેલ આ ત્રણ દરવાજાનું સંપૂર્ણ સમારકામ, સુંદર રંગરોગાન કરવાની અને ટાવરની બંને સાઇડે વિશાળ ઇલેકટ્રોનીક્સ ટકોરા પડે તેવી ઘડિયાળ મૂકવાનું સૂચન કરેલ. આ માટે કીલાચંદ પરિવારનો સંપૂર્ણ સહયોગ આપવાની તેમણે ખાત્રી આપેલ.
આ મુલાકાતમાં તેમની સાથે રહેલ મહાગુજરાતના તંત્રી હર્ષદભાઇ ખમાર, આર્કીટેક અશ્વીન ગાંધી ને આ માટે જિલ્લા કલેક્ટરશ્રી, નગરપાલિકા સહિત તંત્ર સાથે સંકલન કરવાની જવાબદારી સોંપી ટૂંક સમયમાં ફરી પાટણ આવવાની ખાત્રી આપી હતી. આમ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તેમણે ઇચ્છાશક્તિ વ્યક્ત કરેલ.
પાટણ પાલિકા સહિતની પાટણ વિકાસ પરિષદ, પાટણ સાંસ્કૃતિક મંડળ જેવી શહેરની સંસ્થાઓ પાટણનું ઘરણું એવા આ ત્રણ દરવાજાની શોભા પુન: સ્થાપિત કરવા આગળ આવશે?

Related posts

પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે

museb

પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલમાં નીરવ રીડિંગ લાઇબ્રેરીનું લોકાર્પણ

mahagujarat

પાટણ જિલ્લાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજજ

museb

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

તૃતીય પીઠાધિશ્ર્વર પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશબાવાની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભંડારનું વાસ્તુપુજન, છપ્પનભોગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

mahagujarat

Leave a Comment