Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યારાષ્ટ્રીય

પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે

હરીઓમ ગૌશાળા અનાવાડાના લાભાર્થે ભવ્ય આયોજન

અનાવાડા સ્થિત ગૌશાળાની ટીમે પોરબંદર થઇ પૂ. ભાઇશ્રીના આશિર્વાદ મેળવ્યા

પાટણ ખાતે આગામી પહેલી ડિસેમ્બર થી સાતમી ડિસેમ્બર સુધી બિમાર અને અશક્ત ગૌ માતાની હોસ્પિટલ તથા ગૌશાળા (હરિ ઓમ ગૌશાળા અનાવાડા)ના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથા માટે વિશ્ર્વ પ્રસિદ્ધ ભાગવત્ કથાકાર પૂ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈ શ્રી)ના પોરબંદર સ્થિત સાંદિપની મંદિર ખાતે પાટણ ગૌશાળાની ટીમને વિધિવત આમંત્રણ આપી પ.પૂ. રમેશભાઈ ઓઝાના સ્વ હસ્તે શ્રીફળ, પત્ર આપી કથા માટે પૂ.ભાઈ શ્રીએ વિધિવત સંમતિ આપી.
પ.પૂ. રમેશભાઈ ઓઝાએ સંપૂર્ણ કથા આયોજન વિશે ઝીણવટભરી માહિતી મેળવી ખુશી વ્યક્ત કરી હતી. ગૌશાળાના કાર્યકર્તાઓએ ભાગવત સપ્તાહ સંપૂર્ણ સફળ બનાવવા માટે ભાઈશ્રીના આશીર્વાદ મેળવ્યા તથા આશ્રમ સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી.

આગામી સમયમાં પાટણ ની હરીઓમ ગૌશાળા આગવી ઓળખ ઉભી કરી સંપૂર્ણ ગુજરાતમાં ક્યારેય ન થઈ હોય એવી ભવ્ય કથાનું આયોજન કરવા સૌના પ્રયત્નો કરવાની પૂ. ભાઇશ્રીને ખાત્રી આપેલ. બીમાર ગાયોની સારવાર માટે હજારો દાતાઓના સહયોગથી આ ગૌશાળાને વધારે અધ્યતન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરેલ.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા આગામી દિવસોમાં ભવ્ય તૈયારીઓ કરનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

Related posts

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

mahagujarat

હેરિટેજ કરાઓકે ગ્રુપ ઓફ પાટણ દ્વારા સંગીત સે સેવાનું આયોજન કરાયું

mahagujarat

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. જીતેન્દ્ર પંચોલીનું દુ:ખદ અવસાન

museb

પાટણનાં જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાન સેમિનાર યોજાયો

museb

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી અને મંત્રી તરીકે અલ્પેશ એમ. પટેલની નિમણુંક

mahagujarat

Leave a Comment