Maha Gujarat
Other

પાટણનું ઘરેણું એવા ત્રણ દરવાજાની હાલત સુધારવા શ્રી હર્ષ કીલાચંદે સૂચન કર્યુ કીલાચંદ પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવા ખાત્રી આપી

દેશના જાણિતા ઉદ્યોગપતિ પાટણના વતની શેઠશ્રી કીલાચંદ પરિવારના શ્રી હર્ષ કીલાચંદ ગઇકાલે પાટણની મુલાકાતે આવેલ. આ પ્રસંગે તેમણે પાટણના પ્રખ્યાત હેરીટેઝ ત્રણ દરવાજાની મુલાકાત લીધી હતી. આ ત્રણ દરવાજા ઉપર કીલાચંદ ટાવર આવેલ છે. શેઠશ્રી કીલાચંદ પરિવાર દ્વારા વર્ષો પહેલા આ ટાવર બંધાવી તેની બંને બાજુ ઘડીયાળ મૂકવામાં આવેલ. રાઉન્ડથી ક્લોક આ વિશાળ ઘડીયાળના સમય મુજબ ટકોરા વાગતા હતા. અગાઉ કોટ માત્ર વિસ્તારમાં સિમીત સમગ્ર પાટણ શહેરમાં તે સંભળાતા હતા.
શ્રી હર્ષ કીલાચંદે ર્જીણ થયેલ આ ત્રણ દરવાજાનું સંપૂર્ણ સમારકામ, સુંદર રંગરોગાન કરવાની અને ટાવરની બંને સાઇડે વિશાળ ઇલેકટ્રોનીક્સ ટકોરા પડે તેવી ઘડિયાળ મૂકવાનું સૂચન કરેલ. આ માટે કીલાચંદ પરિવારનો સંપૂર્ણ સહયોગ આપવાની તેમણે ખાત્રી આપેલ.
આ મુલાકાતમાં તેમની સાથે રહેલ મહાગુજરાતના તંત્રી હર્ષદભાઇ ખમાર, આર્કીટેક અશ્વીન ગાંધી ને આ માટે જિલ્લા કલેક્ટરશ્રી, નગરપાલિકા સહિત તંત્ર સાથે સંકલન કરવાની જવાબદારી સોંપી ટૂંક સમયમાં ફરી પાટણ આવવાની ખાત્રી આપી હતી. આમ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તેમણે ઇચ્છાશક્તિ વ્યક્ત કરેલ.
પાટણ પાલિકા સહિતની પાટણ વિકાસ પરિષદ, પાટણ સાંસ્કૃતિક મંડળ જેવી શહેરની સંસ્થાઓ પાટણનું ઘરણું એવા આ ત્રણ દરવાજાની શોભા પુન: સ્થાપિત કરવા આગળ આવશે?

Related posts

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે

mahagujarat

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

પાટણ નગરપાલિકામાં વેરા વસુલાતના પ્રથમ દિવસે જ સોફ્ટવેર ખોવાઈ પડતા કામગીરી અટવાઈ

museb

પાટણથી પ્રભાસ પાટણ-સોમનાથની સીધી ટ્રેન શરૂ કરો

mahagujarat

પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે

museb

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

Leave a Comment