Maha Gujarat
MehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યારાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સ્થાપિત સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી તથા આશ્રમ દ્વારા તૈયાર થયેલ ચાર પુસ્તકોનું વિમોચન કરાયું

આજે ગુરૂપૂર્ણિમાના દિને સર્વ મંગલમ આશ્રમ, સાગોડીયામાં તા. ૧૦-૦૫-૨૫ ગુરુવારે પ.પૂ.ગુરુજીશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબના જન્મદિન અને ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણીનું અત્યંત ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મંગલમય પ્રાર્થનાથી પ્રારંભ થયેલ આ પવિત્ર આધ્યાત્મિક કાર્યક્રમમાં આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શરદભાઈ શાહે સૌનું હાર્દિક સ્વાગત કર્યું. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબે આશીર્વચન આપ્યાં. ડો.મહેન્દ્રભાઈ શાહ સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યું. આશ્રમના પ્રમુખ શ્રી જગદીશભાઈ વોરાએ પૂ. ગુરુજીની વિવિધ ભજનો અને ગીતો દ્વારા ભાવાંજલિ આપી હતી. શ્રી ગઢવી અને અન્ય સાધકોએ પણ પોતાના ભક્તિ ભાવ સાથે અભિવ્યક્ત કર્યા હતા.


આ પ્રસંગે આશ્રમ દ્વારા ચાર પુસ્તકો (૧) અપૂર્વ અવસર (૨) ઇષાવાસ્ય ઉપનિષદ (૩) રામાયણમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશ (૪) શ્રીમદ્ ભગવદ્ગીતાનો ભક્તિ યોગ કે જે પુસ્તકો પ.પૂ. શ્રી મુનીશ્રી ભાનુવિજયજી મ.સા.એ આપેલ પ્રવચનોમાંથી સંકલીત કરાયેલ છે તેનું વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે વિમોચન કરવામાં આવેલ. આ પુસ્તકોના પ્રકાશન માટે માતબર દાન આપનાર શ્રી વિષ્ણુભાઈ પટેલનું સન્માન કરી અભિનંદન સહ આભાર વ્યક્ત કરવાં આવેલ. શ્રી શરદભાઈ શાહ સાહેબની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ મહેસાણાથી લગભગ ૫૫ સાધકોએ આ કાર્યક્રમનો લાભ લીધો. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સાધકોએ ઉપસ્થિત રહી પ.પૂ. ભાનુવિજયજી મ.સા.ને ગુરૂવંદના કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો.એસ.ટી.કોટક દ્વારા કરવામાં આવેલ. બપોર ભોજન પ્રસાદ લઈ અનેરા આનંદ સાથે સૌ છૂટા પડ્યાં.

અહેવાલ : હર્ષદ પી. ખમાર

Related posts

પાટણ રીજીયોનલ સાયન્સ સેન્ટરને મુંબઇના પ્રફુલ શાહે એન્ટીક કેમેરાઓની ભેટ આપી

mahagujarat

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

museb

8 મેં રેડ ક્રોસ દિન. પાટણ જિલ્લા રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

mahagujarat

પાટણમાં ભગવાન પદ્મનાથના સપ્ત રાત્રી મેળાનો પ્રારંભ થશે

museb

રેડક્રોસ દિવસ નિમિત્તે પાટણમાં પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

Leave a Comment