Maha Gujarat
Other

શ્રીમંત ફતેસિંહ રાવ લાઈબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સહયોગથી ચાલતી પાણીની પરબનો તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ રાવ લાઇબ્રેરી અને પાટણ નગર સેવા સદન ના સહયોગથી શ્રીમતી હર્ષાબેન ભરતભાઈ ના સૌજન્ય થી તથા અન્ય દાતાઓના સૌજન્યથી  પાટણના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નગરજનો તથા ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની રહેલ છે .જીમખાના દરવાજા પાસે આવેલ પાણીની પરબ છેલ્લા બે વર્ષથી અવિરત 24 કલાક પીવાનું શુદ્ધ ઠંડુ પાણીની વ્યવસ્થા પૂરી પાડી રહી છે .તેનો આ બાજુના લોકો લાભ રહી રહ્યા છે .આ વિસ્તારમાં સતત સવારથી સાંજ સુધી મુસાફરો, વિદ્યાર્થીઓ તથા જિમખાનાના રમતવીરો લાભ લઇ રહ્યા છે. અહીંયા  મુસાફરોને બેસવા તથા ઉભા રહેવા માટે સગવડ મળી રહે તે હેતુથી અહીંયા દાતાઓના સહયોગથી બાંકડા મુકવામાં આવ્યા છે, તેમ જ આજે છાંયડો મળી રહે તે હેતુથી ઘટાદાર વૃક્ષોનું વૃક્ષારોપણ પ્રમુખ પ્રમુખ શ્રીમતી હિરલબેન તથા મનોજભાઈ ના હસ્તે કરવામાં આવ્યું છે.

આજના આ કાર્યક્રમમાં પાટણ નગર સેવાસદન ના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર તથા કોર્પોરેટર મનોજભાઈ પટેલ તથા લાઇબ્રેરી નાં પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા, મંત્રી મહાસુખ ભાઈ મોદી, રાજેશભાઈ પરીખ, સુનીલભાઈ,સંયોજક શ્રી નટુભાઈ દરજી ,અશ્વિનભાઈ નાયક, હસુભાઈ સોની, નગીનભાઈ ડોડીયા, દિલીપભાઈ પ્રજાપતિ, દેવેન્દ્રભાઈ ત્રિવેદી,મહેન્દ્રભાઈ પરમાર તથા વૃક્ષારોપણ નાં દાતા ભરતભાઈ ભાટિયા તેમજ આજુબાજુના રહીશો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશને  વધાવ્યો હતો…

Related posts

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

પાટણની શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા નવિન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહ યોજાયો

mahagujarat

શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું

museb

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત 9,80,000/ નવ લાખ એંસી હજાર રૂપિયાનું ABG (Arterial Blood Gas) મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું.

mahagujarat

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ : ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

mahagujarat

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

Leave a Comment