યુએસ મિત્ર મંડળ કેમ્પને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી

દર ભાદરવી પુનમે અંબાજી જતાં પદયાત્રીઓ માટે ભરપેટ ભોજનનો અનોખો સેવા કેમ્પ દાંતાથી ૧ કી.મી આગળ મહેસાણા, કલોલ, અમદાવાદ અને યુ.એસ. મિત્ર મંડળ દ્વારા ચલાવવામાં આવે છે. આ કેમ્પને આ વર્ષે ૨૫ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી, ઉદ્ઘાટન સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરાયેલ. આ પ્રસંગે મહેસાણાના શ્રીનીલ દિનેશભાઇ ખમાર અને પ્રિયલ શ્રીનીલભાઇ ખમારે યજ્ઞવિધીમાં બેસવાનો લાભ લીધેલ. આ કેમ્પના મુખ્ય પ્રયોજક, પ્રેરક, અમેરિકા વસતા હસમુખભાઇ પટેલ સાથે તેમનો સમગ્ર પરિવાર, યુ.એસ. થી ખાસ હાજરી આપવા આવ્યા હતા. આજના કેમ્પના પ્રારંભે અને નવચંડી યજ્ઞમાં હાજરી આપવા મહેસાણા, કલોલ, અમદાવાદ અને યુ.એસ.એ.માં વસતા એનઆરઆઇ પરિવારો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ભાદરવા સુદ – ૯ થી પુનમ સુધી ચાલતા આ સેવા કેમ્પમાં યાત્રીકોનો રાત-દિવસ ખૂબ ભારે ધસારો રહે છે. યાત્રીકોને મિષ્ટાન સાથે ભરપેટ ભોજન પીરસવામાં આવે છે. યાત્રિકોને આરામ માટે વોટરપ્રુફ વિશાળ ડુમ બનાવવામાં આવે છે. રોજ રાત્રે સ્ટેજ ઉપર વિશાળ સંગીત, નૃત્ય, નાટીકાનો કાર્યક્રમ પણ યોજાય છે. જેમાં દિલ્હીથી આવેલ કલાકારોની ટીમ ભાગ લે છે. દર વર્ષે આ કેમ્પમાં લાખો યાત્રીકો ભોજન લઇ તૃપ્ત થાય છે.
અત્રે ઉલ્લેખની એ છે કે છે કે આજથી 25 વર્ષ પહેલા આ કેમ્પની શરૂઆત યુએસ માં વસતા હસમુખભાઈ પટેલ અને તેમના મિત્રો તેમજ મહેસાણાના દિનેશભાઈ બચુભાઈ ખમાર અને તેમના મહેસાણા મિત્ર વર્તુળ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી .જે કેમ્પ અવિરત 25 વર્ષથી ચાલી રહ્યો છે.
