રાણીની વાવના સ્થાપત્યોને ઉજાગર કરતી થીમ પર પ્રવેશ દ્વાર બનશે…
આઝાદીના 75 વર્ષની ઉજવણીને યાદગાર સ્મૃતિરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમૃતમ્ ભારત યોજના તળે દેશના 508 જેટલા મહત્ત્વના રેલ્વે સ્ટેશનોનું નવસંસ્કરણ-આધુનિકરણ થઇ રહ્યું છે. આ પૈકી પાટણ રેલ્વે સ્ટેશન જેની 1908માં વડોદરા રાજ્ય દ્વારા શરૂઆત થઇ હતી. તે રેલ્વે સ્ટેશન સમયે સુધારા-વધારા થયા હશે પણ હવે પાટણને ભીલડી-રાજસ્થાનનું રાષ્ટ્રીય નેટવર્ક સાથે થયા પછી પાટણની રેલ્વે પ્રવાસી સુવિધાઓમાં જબરજસ્ત વધારો થયો છે. પાટણ રેલ્વે સ્ટેશનનું પણ નવસંસ્કરણ-ભવ્યતા-દી-ભવ્ય સ્ટેશન રૂા. 34 કરોડના ખર્ચે થઇ રહ્યું છે.

બુકીંગ ઓફિસ-વિશ્રામગૃહ-એસ્કેલેટર-પાર્કિંગ-અત્યાધુનિક ટેલીકોમ્યુનીકેશન સિસ્ટમ થશે…
અમૃતમ્ ભારત યોજના તળે આ પ્રકલ્પનું આજે કાર્ય ચાલે છે. પૌરાણીક પાટણને વિશ્ર્વના નકસા પર મુકતા વિશ્ર્વ વિરાસત ‘રાણી ઉદયમતિ’ની વાવની ઝાંખી કરાવે તેવું ભવ્ય પ્રવેશદ્વાર આકાર લઇ રહ્યું છે. આ રેલ્વે સ્ટેશનમાં તેમાં તમામ જન-પ્રવાસી સુવિધાઓ હશે. દેશના મહત્ત્વના રોડ લાઇન સ્ટેશન બનવા જઇ રહેલ પાટણને અનુરૂપ સુવિધાઓ થશે. જેમાં બુકીંગ ઓફિસ-વિશ્રામગૃહ-એસ્કેલેટર-પાર્કિંગ-અત્યાધુનિક, ટેલીકોમ્યુનીકેશન સિસ્ટમ વિગેરે.. વિગેરે.. થશે.
