Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

પાટણ-ભીલડી રેલ જોડાણ પછી હવે રૂા. 34 કરોડના ખર્ચે પાટણ રેલ્વે સ્ટેશનનું નવસર્જન-આધુનિકરણ થઇ રહ્યું છે

રાણીની વાવના સ્થાપત્યોને ઉજાગર કરતી થીમ પર પ્રવેશ દ્વાર બનશે…

આઝાદીના 75 વર્ષની ઉજવણીને યાદગાર સ્મૃતિરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમૃતમ્ ભારત યોજના તળે દેશના 508 જેટલા મહત્ત્વના રેલ્વે સ્ટેશનોનું નવસંસ્કરણ-આધુનિકરણ થઇ રહ્યું છે. આ પૈકી પાટણ રેલ્વે સ્ટેશન જેની 1908માં વડોદરા રાજ્ય દ્વારા શરૂઆત થઇ હતી. તે રેલ્વે સ્ટેશન સમયે સુધારા-વધારા થયા હશે પણ હવે પાટણને ભીલડી-રાજસ્થાનનું રાષ્ટ્રીય નેટવર્ક સાથે થયા પછી પાટણની રેલ્વે પ્રવાસી સુવિધાઓમાં જબરજસ્ત વધારો થયો છે. પાટણ રેલ્વે સ્ટેશનનું પણ નવસંસ્કરણ-ભવ્યતા-દી-ભવ્ય સ્ટેશન રૂા. 34 કરોડના ખર્ચે થઇ રહ્યું છે.

બુકીંગ ઓફિસ-વિશ્રામગૃહ-એસ્કેલેટર-પાર્કિંગ-અત્યાધુનિક ટેલીકોમ્યુનીકેશન સિસ્ટમ થશે…

અમૃતમ્ ભારત યોજના તળે આ પ્રકલ્પનું આજે કાર્ય ચાલે છે. પૌરાણીક પાટણને વિશ્ર્વના નકસા પર મુકતા વિશ્ર્વ વિરાસત ‘રાણી ઉદયમતિ’ની વાવની ઝાંખી કરાવે તેવું ભવ્ય પ્રવેશદ્વાર આકાર લઇ રહ્યું છે. આ રેલ્વે સ્ટેશનમાં તેમાં તમામ જન-પ્રવાસી સુવિધાઓ હશે. દેશના મહત્ત્વના રોડ લાઇન સ્ટેશન બનવા જઇ રહેલ પાટણને અનુરૂપ સુવિધાઓ થશે. જેમાં બુકીંગ ઓફિસ-વિશ્રામગૃહ-એસ્કેલેટર-પાર્કિંગ-અત્યાધુનિક, ટેલીકોમ્યુનીકેશન સિસ્ટમ વિગેરે.. વિગેરે.. થશે.

Related posts

પાટણ નગરપાલિકાના પ્રમુખ પદે ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી

mahagujarat

પાટણ જિલ્લાની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બદલી થયેલ કલેક્ટરશ્રી સુપ્રિતસિંહ ગુલાટી સાહેબનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશનના ડૉ. જય ધ્રુવને મેકસીકોની યુનિવર્સિટી દ્વારા ડીએએસની પદવી થી સન્માનિત કરાયા

mahagujarat

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

સુગમ સંગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયની કુ. શિખા નાયક

mahagujarat

Leave a Comment