Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

પાટણ-ભીલડી રેલ જોડાણ પછી હવે રૂા. 34 કરોડના ખર્ચે પાટણ રેલ્વે સ્ટેશનનું નવસર્જન-આધુનિકરણ થઇ રહ્યું છે

રાણીની વાવના સ્થાપત્યોને ઉજાગર કરતી થીમ પર પ્રવેશ દ્વાર બનશે…

આઝાદીના 75 વર્ષની ઉજવણીને યાદગાર સ્મૃતિરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમૃતમ્ ભારત યોજના તળે દેશના 508 જેટલા મહત્ત્વના રેલ્વે સ્ટેશનોનું નવસંસ્કરણ-આધુનિકરણ થઇ રહ્યું છે. આ પૈકી પાટણ રેલ્વે સ્ટેશન જેની 1908માં વડોદરા રાજ્ય દ્વારા શરૂઆત થઇ હતી. તે રેલ્વે સ્ટેશન સમયે સુધારા-વધારા થયા હશે પણ હવે પાટણને ભીલડી-રાજસ્થાનનું રાષ્ટ્રીય નેટવર્ક સાથે થયા પછી પાટણની રેલ્વે પ્રવાસી સુવિધાઓમાં જબરજસ્ત વધારો થયો છે. પાટણ રેલ્વે સ્ટેશનનું પણ નવસંસ્કરણ-ભવ્યતા-દી-ભવ્ય સ્ટેશન રૂા. 34 કરોડના ખર્ચે થઇ રહ્યું છે.

બુકીંગ ઓફિસ-વિશ્રામગૃહ-એસ્કેલેટર-પાર્કિંગ-અત્યાધુનિક ટેલીકોમ્યુનીકેશન સિસ્ટમ થશે…

અમૃતમ્ ભારત યોજના તળે આ પ્રકલ્પનું આજે કાર્ય ચાલે છે. પૌરાણીક પાટણને વિશ્ર્વના નકસા પર મુકતા વિશ્ર્વ વિરાસત ‘રાણી ઉદયમતિ’ની વાવની ઝાંખી કરાવે તેવું ભવ્ય પ્રવેશદ્વાર આકાર લઇ રહ્યું છે. આ રેલ્વે સ્ટેશનમાં તેમાં તમામ જન-પ્રવાસી સુવિધાઓ હશે. દેશના મહત્ત્વના રોડ લાઇન સ્ટેશન બનવા જઇ રહેલ પાટણને અનુરૂપ સુવિધાઓ થશે. જેમાં બુકીંગ ઓફિસ-વિશ્રામગૃહ-એસ્કેલેટર-પાર્કિંગ-અત્યાધુનિક, ટેલીકોમ્યુનીકેશન સિસ્ટમ વિગેરે.. વિગેરે.. થશે.

Related posts

પાટણની નૂતન વિનય મંદિર હાઇસ્કૂલમાં બે ડીજીટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું

museb

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

પાટણ લોકસભાની સીટ ઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે

museb

પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાને ઐતિહાસિક દરજ્જો આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત

mahagujarat

અમૃત ભારત યોજના હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાશે

mahagujarat

પાટણના નગરદેવીના પ્રાચીન મંદિરમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે

museb

Leave a Comment