Maha Gujarat
Patanઆંતરરાષ્ટ્રીયજિલ્લોરાજ્ય

પાટણની ગજાનન વાડીમાં મૃણમયી ‘શ્રી’ની સ્થાપના ૧૪૮માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ કરાયો

વડોદરાથી તૈયાર થઇને આવેલી પ્રતિમાની વિધિપૂર્વક સ્થાપના

પાટણ શહેર અને જિલ્લામાં શરુ થયેલા ગણેશોત્સવોમા દેશનો સૌથી જુનો એવો ગણેશોત્સવનો પ્રારંભ પાટણનાં ભદ્ર વિસ્તારમાં આવેલી મહારાષ્ટ્રિન પરિવારોની ગણેશવાડી ખાતે થયો હતો. આ મહોત્સવએ દેશનો જુનો એટલે કે, ૧૪૮મો ગણેશોત્સવ છે. અહીં દર વર્ષે ભાદરવા સુદ ચોથ ગણેશચતુર્થીથી લઈને ચૌદશ એમ દસ દિવસ સુધી સંપૂર્ણ ભક્તિભાવ અને અસલ પરંપરા સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

 

ઐતિહાસિક ગણાતા આ મહોત્સવમાં શ્રીની પ્રતિમા ખાસ પ્રકારે માટીમાંથી મંત્રોચ્ચાર સાથે નિર્માણ કરવામાં આવી હતી. જેને વડોદરાથી લાવવામાં આવી છે. આજે સવારે શ્રીની સ્થાપના કરવામાં આવી હતી. આ પહેલાં અનંત મો. દેવધરનાં નિવાસસ્થાનેથી શ્રીની પ્રતિમાને ખાસ પાલખીમાં બિરાજમાન કરીને વાજતે ગાજતે ભજન ર્તિન સાથે ગણેશવાડી ખાતે લાવવામાં આવી હતી. અને અહીં નીજ મંદિરમાં તેની સ્થાપના કરીને ભુદેવના વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તમામ ભાવિક ભક્તોની ઉપસ્થિતીમાં પુજા અર્ચના કરવામાં આવી હતી. અને તેની ભવ્ય પરંપરાગત આરતી ઉતારવામાં આવી હતી. અહીં સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

૧૦ દિવસ ચાલનારા આ પ્રાચિન ગણેશોત્સવની ખાસિયત એ છે કે, અહીં કોઈ જ પ્રકારની જાહોજલાલી નથી હોતી. અત્યંત સાદગીપૂર્વક અને પૂર્ણ આસ્થા સાથે પારંપરિક ભજન ક્તિન અને ધાર્મિક વિભાવના ધરાવતા ભક્તિ સભર કાર્યક્રમો જ રોજે રોજ યોજાય છે. જેમાં પાટણનાં સ્થાનિક સંગીતકારો, કથાકારો અને કલાકારો પોતાની કલા પ્રસ્તુત કરીને શ્રી ગણેશજીની આરાધના કરે છે. પ્રતિમાનાં વિસર્જનની આગલી રાત્રે ખાસ પધ્ધતિથી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. બ્રાહમમુહૂર્તમાં વહેલી પરોઢે સાડા ત્રણ વાગે લળીતની વિધી વિધાન કરીને શ્રીનો પાટલો ખસેડવામાં આવે છે અને બીજા દિવસે પૂનમે તેમની વિસર્જન યાત્રા નિકળશે. જે શહેરના જળાશયમાં એટલી ભાવપૂર્વક પધરાવીને વિદાય આપવામાં આવે છે.

Related posts

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું

museb

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસો. દ્વારા મહેશભાઇ શાહના સહકારથી “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાના બાળકોને સ્વેટર, બુટ-મોજાનું વિતરણ કરાયું

mahagujarat

પુસ્તકો પાસેથી સકારાત્મક અભિગમ મેળવીને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

mahagujarat

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

પાટણ રીજીયોનલ સાયન્સ સેન્ટરને મુંબઇના પ્રફુલ શાહે એન્ટીક કેમેરાઓની ભેટ આપી

mahagujarat

Leave a Comment