Maha Gujarat
Other

પાટણના નગરદેવીના મંદિરમાં અનોખો દીપોત્સવી મહોત્સવ યોજાશે

પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના અતિ પ્રાચીન મંદિરમાં તા. ૧૮-૧૦-૨૦૨૫ને શનિવાર અર્થાત્ ધનતેરસથી માંડીને લાભ પાંચમ સુધી વિવિધ પુજાઓ, કાલીપૂજા, લોકમેળાઓ, અન્નકૂટ, હિંડોળાના દર્શન, યજ્ઞ તથા શ્રી માતાજીના કિલ્લા ઉપર ખપ્પર (સળગતી સગડી)ના દર્શન વગેરેનો અનોખો દીપોત્સવી મહોત્સવ સદીઓથી પરંપરા મુજબ આ વર્ષે પણ યોજાવાનો છે.
* ધનતેરસ : તા. ૧૮-૧૦-૨૦૨૫, શનિવાર
– રાત્રે ૯-૨૦ કલાકે, ધન-ધન્વન્તરી પૂજન
* કાળીચૌદસ : તા. ૧૦-૧૦-૨૦૨૫, રવિવાર
– રાત્રે ૮ થી ૧૧ દરમિયાન સામૂહિક કાલીપૂજા અને ભદ્રકાળી માતાજીના અઢાર હાથનાં દર્શન થશે
* દિવાળી : તા. ૨૦-૧૦-૨૦૨૫, સોમવાર
– રાત્રે ૮-૦૦ વાગે મહાલક્ષ્મી પૂજન-શારદા પૂજન થશે
* બેસતુ વર્ષ : તા. ૨૨-૧૦૨૦૨૫, બુધવાર
– સવારના ૬-૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી શ્રી માતાજીના અલૌકિક શૃંગાર દર્શન અને આખા દિવસ દરમિયાન મંદિરના પ્રાંગણમાં લોકમેળો યોજાશે.
* ત્રીજ : તા. ૨૪-૧૦-૨૦૨૫, શુક્રવાર
– સવારના ૧૦-૦૦ થી બપોરના ૦૧-૦૦ વાગ્યા સુધી અન્નકૂટના દર્શન થશે.
* ચોથ : તા. ૨૫-૧૦-૨૦૨૫, શનિવાર
– સવારના ૧૦-૦૦ થી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધી શ્રીમાતાજીના હિંડોળાના દર્શન
* લાભપાંચમ : તા. ૨૬-૧૦-૨૦૨૫, રવિવાર
– સવારના ૧૦-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ તરફથી શ્રીમાતાજી સમક્ષ યજ્ઞનું આયોજન કરાયેલ છે.
– સાંજના ૬-૧૫ વાગે શ્રી માતાજીના કિલ્લા ઉપર ખપ્પર (સળગતી સગડી)ના અલભ્ય દર્શન થશે.
આ તમામ દિવસોએ શ્રી માતાજીના અદ્ભૂત શૃંગાર તેમજ ભવ્યાતિભવ્ય તાજાં ફૂલોની આંગીના દર્શન થશે. સમસ્ત મંદિર પરિસર ફૂલોથી આચ્છાદિત કરાશે.

Related posts

પાટણ લોકસભાની સીટ ઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ જામશે

museb

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે

museb

પાટણનું ઘરેણું એવા ત્રણ દરવાજાની હાલત સુધારવા શ્રી હર્ષ કીલાચંદે સૂચન કર્યુ કીલાચંદ પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવા ખાત્રી આપી

mahagujarat

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

નૉર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની મંજૂરી

mahagujarat

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

Leave a Comment