Maha Gujarat
Other

ઉજ્જૈન નગરી માં શ્રી શિવપુરાણ કથા મહોત્સવ યોજાયો

શ્રી શ્રીહરિ સેવા પરિવાર પાટણ દ્વારા આયોજિત શ્રી શિવમહાપુરાણ કથા મહોત્સવ ઉજ્જૈન નગરી ખાતે શ્રી મહાકાલેશ્વર દાદા ના સાંનિધ્ય માં ખૂબ દિવ્યતા પૂર્વક પરિપૂર્ણ થયો. જેમાં વ્યાસપીઠ ઉપર થી વકતા શાસ્ત્રી શ્રી દિલીપભાઈ આચાર્ય એ સંગીત ના સૂરો સાથે શિવપુરાણ કથા ના માધ્યમ થી ભાવિકો ને શિવ ભક્તિ થી રસતરબોળ બનાવ્યા હતા . આ કથા ના મુખ્ય મનોરથી તરીકે સ્વ. મનજીભાઇ મનોરદાસ પટેલ (સાગોડિયા ) પરિવારે લાભ લીધો હતો. આ યાત્રા માં આશરે 100 ભાવિક ભક્તો જોડાયા હતા. યાત્રિકો એ કથા શ્રવણ સાથે ઉજ્જૈન નગરી માં મહાકાલેશ્વર ના દર્શન સહિત ઉજ્જૈન નગરી ના વિવિધ મંદિરો ના દર્શન કર્યા હતા. કથા બાદ યાત્રિકો એ મધ્ય પ્રદેશ માં આવેલ ઓંમકારેશ્વર જયોતિલીંગની યાત્રાપણ કરી હતી. શ્રી શ્રી હરીસેવા સેવા પરિવાર ના આયોજકો, કાર્યકરો એ યાત્રા,ભોજન,નિવાસ,કથા સહિત નું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું

Related posts

એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણની ગોલ્ડ મેડલમાં હેટ્રિક…

museb

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ

museb

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ.પંડયા અભ્યાસગૃહ એલ્યુમીની એસોસિએશન’ની સ્થાપના કરાશે

museb

ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે “The Power of Early Years Parenting” વિષયક વર્કશોપનું આયોજન

mahagujarat

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસો. દ્વારા મહેશભાઇ શાહના સહકારથી “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાના બાળકોને સ્વેટર, બુટ-મોજાનું વિતરણ કરાયું

mahagujarat

Leave a Comment