Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

 


આ પહેલા આશ્રમ શાળા ના વિધાર્થીઓ ને મુંબઈ પ્રવાસે પણ લઈ જવાયેલ હતા

પરમ પૂજ્ય મુની શ્રી ભાનુવિજયજી મહારાજ શ્રી ના પવિત્ર ચરણો થી સ્પર્શ પામેલી પાવન ભૂમિ સર્વમંગલમ્ આશ્રમ સાગોડિયામાં આવેલ શ્રીમતી એલ.પી. શાહ વિદ્યાલય અને સર્વમંગલમ્ પ્રાથમિક શાળાના કુલ 231 વિદ્યાર્થીઓને મહેસાણા નજીક આવેલ શંકુજ વોટરપાર્ક ખાતે એક દિવસના પિકનિક લઈ જવામાં આવેલ. આ વોટરપાર્કની મજા, બપોરનું ભોજન અને સમગ્ર પ્રવાસનું સુંદર આયોજન આશ્રમ સાથે સંકળાયેલા વોટર પાર્કના શ્રીમતી આનંદીબેન શંકરભાઈ ચૌધરીની નિશ્રામાં અને સહયોગથી કરાયેલ હતું. વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય સ્ટાફે વોટરપાર્કની રાઇડ્સ, સુંદર ભોજનની મજા માણેલ.


આ પહેલા પણ ગત એપ્રિલમાં આશ્રમની શ્રીમતી એલ પી શાહ કૃષિ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ધોરણ 12 માં અભ્યાસ કરતા અને ગુરુકુળમાં રહેતા 14 વિદ્યાર્થીઓને મુંબઈ પ્રવાસે લઈ જવામાં આવેલ હતા . પાંચ દિવસનો આ પ્રવાસ આશ્રમ ના ટ્રસ્ટી, મુંબઈ સ્થિત શ્રી જગદીશભાઈ વોરા ના માર્ગદર્શનમાં કરાયેલ. આ 14 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ તેમના જીવનમાં પહેલીવાર મુંબઈ જેવા શહેરમાં જઈ જોગસ પાર્ક, ગેટ વે ઓફ ઇન્ડિયા, બોટ સવારી, સેન્ટ્રલ લાયબેરી, તાજ હોટલ, નરીમાન પોઇન્ટ, ચોપાટી, રાજાભાઈ ટાવર, સચિવાલય, મરીન ડ્રાઈવ, એર ઇન્ડિયા બિલ્ડીંગ, સીટી ગોલ્ડ સિનેમા, વાનખેડે સ્ટેડિયમ, મહાલક્ષ્મી મંદિર, રેસકોર્સ, જુહુ ચોપાટી, ફિલ્મ સ્ટારના બંગલા જોવાનો આનંદ માણેલ. વિદ્યાર્થીઓને મુંબઈની લોકલ ટ્રેન નો પ્રવાસ પણ કરાવવામાં આવેલ. મુંબઈની ભાગ દોડ વાળી જિંદગી જોઈ વિદ્યાર્થીઓએ રોમાંચ અનુભવ્યો હતો.


મુંબઇમાં શ્રી જગદીશભાઈ વોરા સહિત સાથે ગયેલા શિક્ષકો, અરવિંદભાઈ, કૌશિકભાઇનું માર્ગદર્શન મળ્યું હતું. ભવિષ્યમાં આવા પ્રવાસોનું આયોજન થાય તે માટે મુંબઈ સ્થિત અનેક દાતાઓ એ પણ ખૂબ મોટો આર્થિક સહયોગ આપ્યો હતો. આ પ્રવાસ સાથે દરેક વિદ્યાર્થીને રૂપિયા 500/-, બોલપેન, ટોવેલ, શર્ટ વિગેરે વિગેરે વિવિધ વસ્તુઓની ભેટ પણ અપાયેલ. શ્રી જગદીશભાઈ વોરા, શ્રીમતી હેમાબેન વોરાએ સમગ્ર પ્રવાસનું સુંદર સંકલન અને આયોજન કરી અમૂલ્ય ફાળો આપેલ હતો.

Related posts

નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી દ્વારા પાટણમાં નિર્માણાધિન રેલ્વે ઓવરબ્રિજને કિલાચંદ બ્રિજ નામ આપવા માંગણી કરાઇ

museb

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

museb

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે

mahagujarat

શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્રારા નવીન બનનાર ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

mahagujarat

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

Leave a Comment