Maha Gujarat
Other

ઉજ્જૈન નગરી માં શ્રી શિવપુરાણ કથા મહોત્સવ યોજાયો

શ્રી શ્રીહરિ સેવા પરિવાર પાટણ દ્વારા આયોજિત શ્રી શિવમહાપુરાણ કથા મહોત્સવ ઉજ્જૈન નગરી ખાતે શ્રી મહાકાલેશ્વર દાદા ના સાંનિધ્ય માં ખૂબ દિવ્યતા પૂર્વક પરિપૂર્ણ થયો. જેમાં વ્યાસપીઠ ઉપર થી વકતા શાસ્ત્રી શ્રી દિલીપભાઈ આચાર્ય એ સંગીત ના સૂરો સાથે શિવપુરાણ કથા ના માધ્યમ થી ભાવિકો ને શિવ ભક્તિ થી રસતરબોળ બનાવ્યા હતા . આ કથા ના મુખ્ય મનોરથી તરીકે સ્વ. મનજીભાઇ મનોરદાસ પટેલ (સાગોડિયા ) પરિવારે લાભ લીધો હતો. આ યાત્રા માં આશરે 100 ભાવિક ભક્તો જોડાયા હતા. યાત્રિકો એ કથા શ્રવણ સાથે ઉજ્જૈન નગરી માં મહાકાલેશ્વર ના દર્શન સહિત ઉજ્જૈન નગરી ના વિવિધ મંદિરો ના દર્શન કર્યા હતા. કથા બાદ યાત્રિકો એ મધ્ય પ્રદેશ માં આવેલ ઓંમકારેશ્વર જયોતિલીંગની યાત્રાપણ કરી હતી. શ્રી શ્રી હરીસેવા સેવા પરિવાર ના આયોજકો, કાર્યકરો એ યાત્રા,ભોજન,નિવાસ,કથા સહિત નું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું

Related posts

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું

mahagujarat

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

એસ. પી. ઠાકોર સર્વોદય હાઇસ્કૂલ, કાંસાના શિક્ષક ડૉ. રાજગોપાલ મહારાજાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

mahagujarat

પાટણની નૂતન વિનય મંદિર હાઇસ્કૂલમાં બે ડીજીટલ સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરાયું

museb

મણુંદ-સંડેર બાદ બાલીસણામાં ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન

museb

Leave a Comment