Maha Gujarat
Other

રેડક્રોસ દિવસ નિમિત્તે પાટણમાં પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પાટણની રેડક્રોસ ભવનના ફિઝીયોથેરાપી સેન્ટર ખાતે સાપ્તાહિક નિ:શુલ્ક સેવા મળશે

તારીખ ૮ મેના રોજ વિશ્ર્વ રેડક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પાટણ જિલ્લા શાખા દ્વારા એક પ્રશંસનીય માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધતી જતી ગરમીના તાપમાં તરસ્યા પક્ષીઓને રાહત મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા પાટણ બગવાડા દરવાજા નજીક પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ તેમજ ડોક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડબેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પાટણ લાલ દરવાજા પાસે આવેલ વેદાંત કીમ્યો થેરાપી સેન્ટર ખાતે એક અઠવાડિયા માટે  ફિઝિયોથેરાપી નિશુલ્ક રાખવામાં આવેલ છે ઉપરાંત આ વિશેષ દિવસથી સાત દિવસ સુધી પાટણ રેડક્રોસ ભવન ખાતે નિશુલ્ક નિદાનનું આયોજન પણ કરવામાં આવેલ છે. એક કુંડો – અનેક જીવનોનો સહારો એવા ઉમદા સૂત્ર સાથે  ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના જીવ બચાવવાના આ નાના પ્રયાસમાં જોડાઈને લોકો પુણ્યનું ભાથું બાંધી શકે તેવો આશય આ આયોજન  પાછળ રહેલો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પાટણ જિલ્લા શાખા પમાનવતા માટે સેવા રેડક્રોસ સાથેના મંત્રને સાર્થક કરતા આ સેવાકાર્યમાં શહેરના પક્ષીપ્રેમીઓ અને સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વિશેષ દિવસથી સાત દિવસ સુધી પાટણ રેડક્રોસ ભવન કેન્દ્ર નિશુલ્ક નિદાન

વિશ્ર્વ રેડક્રોસ દિવસ, રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતના રાજ્યપાલ અને ભારતીય રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ આચાર્ય દેવવ્રતજીએ પણ રાજ્યના નાગરિકોને માનવતાના કાર્યમાં જોડાવા ભાવભરી અપીલ કરી છે. તેમણે રક્તદાતાઓને જીવનદાતા ગણાવીને ગુજરાતના યુવાનોને વર્ષમાં ઓછામાં ઓછી બે વાર રક્તદાન કરવા અને તેને જન્મદિવસની પરંપરા બનાવવા આહ્વાન કર્યું હતું.

પોતાના સંદેશમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ૮ મે એ માનવતાના કેલેન્ડરનો પવિત્ર દિવસ છે. રક્તનું એક યુનિટ થેલેસેમિયા પીડિત બાળકના ચહેરા પર સ્મિત અને અકસ્માત પીડિત માટે નવજીવનની તક બની જાય છે. તેમણે રક્તદાતાઓ, સ્વયંસેવકો અને શિબિર આયોજકોને આ ચળવળના સાચા કર્મયોગી ગણાવ્યા હતા. તેમના પ્રયાસોથી જ આજે ગુજરાતમાં સેવાની સંસ્કૃતિ દ્રઢ બની રહી છે.

વિશ્વ થેલેસેમિયા દિવસના સંદર્ભમાં રાજ્યપાલએ ભાવુક અપીલ કરતા કહ્યું કે, થેલેસેમિયા એ બાળકનું ભાગ્ય નથી, પણ આપણી સામૂહિક જવાબદારી છે. ગુજરાતમાં એક પણ થેલેસેમિયા બાળક સુરક્ષિત રક્તના અભાવે પીડાવું ન જોઈએ. તેમણે આ બીમારીના નિવારણ માટે લગ્ન પહેલાં થેલેસેમિયા પરીક્ષણ કરાવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે રેડ ક્રોસના મૂળભૂત સિદ્ધાંતો – માનવતા, નિષ્પક્ષતા અને સ્વૈચ્છિક સેવાને અનુસરવા પર ભાર મૂકતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત સ્વૈચ્છિક રક્તદાન અને થેલેસેમિયા સંભાળ ક્ષેત્રે સમગ્ર રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. પાટણ રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન અવસરે સિનિયર સિટીઝન કાઉન્સિલિંગના સેક્રેટરી પ્રહલાદભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ, કિરીટભાઈ ખમાર, ડોક્ટર મોહનભાઈ પટેલ, ડોક્ટર મોનીશભાઈ શાહ, નટુભાઈ દરજી વિગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ દિવસે આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ ખાતે પાટણના સિનિયર સિટીઝન કાઉન્સિલના સેક્રેટરી પ્રહલાદભાઈ પટેલ, ડો. મોનિષભાઈ શાહ સહિતના અગ્રણીઓ તેમજ યુવકો દ્વારા મોટી માત્રામાં બ્લડ ડોનેટ કરી પોતાનો માનવ ધર્મ નિભાવ્યો હતો.

Related posts

પાટણની નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટીના કેમ્પસ વચ્ચે આવેલ રસ્તો ખુલ્લો રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનનો આદેશ

museb

પાટણના ખોડાભા હોલ ખાતે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-૨૦૨૫ નું આયોજન કરાયું..

mahagujarat

પાટણ ના પ્રાંત ઓફિસર મિતુલ ભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ની મુલાકાત લીઘી.

mahagujarat

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

mahagujarat

પાટણ-મહેસાણા-ગોઝારીયા ફોરલેન નેશનલ હાઇવે-ઓવબ્રીજોનું કામ ગોકળ ગાય ગતીએ : 1100 કરોડનો પ્રોજેક્ટ અણઘડનીતિના કારણે અટવાયો

mahagujarat

Leave a Comment