Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

અખિલ ખમાર જ્ઞાતિ સમાજના નવીન 3 વર્ષના હોદ્દેદારોની વરણી કરાઇ

કલોલ ખાતે યોજાયેલ સાધારણ સભામાં અમદાવાદના શૈલેષ જે. ખમારની પ્રમુખ તરીકે વરણી

દેશ અને વિદેશમાં વસતી ખમાર જ્ઞાતિનું એકમાત્ર સંગઠન કે જેની સ્થાપના 1984માં કરવામાં આવી હતી. તે અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની ત્રિવાર્ષિક સાધારણ સભા કલોલમાં આવેલ કપીલેશ્ર્વર મહાદેવના હોલમાં ગત તા. 30-3-2024ને શનિવારે મળી હતી. આ સભામાં ખમાર જ્ઞાતિ મંડળના આગામી 3 વર્ષ માટેની પ્રતિનિધિ સભા અને પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ. આગામી 3 વર્ષ માટે ખમારજ્ઞાતિના પ્રમુખ તરીકે અમદાવાદના બિલ્ડર-ઇજનેર શૈલેષ જે. ખમારની વરણી સર્વાનુમતે કરાયેલ છે.

જ્યારે ઉપપ્રમુખ તરીકે પાટણના હમલોગ પરિવારના અમિત એમ. ખમાર, કલોલના ડીકેશ ડી. ખમાર, મહામંત્રી તરીકે મહેસાણના મયુર એમ. ખમાર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ. આ વરણીની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે ખમારજ્ઞાતિ મહામંડળના પૂર્વપ્રમુખ હિમાંશુ બી. ખમાર, કડી અને ગાંધીનગરના જયેશ જે. ખમારે કુશળતાપૂર્વક કામગીરી નિભાવેલ. નવા વરાયેલ પ્રમુખ શૈલેષ જે. ખમારે આગામી સમયમાં જ્ઞાતિના યુવાન-યુવતિઓ માટે યુવા શિબિરો, મહિલાઓ માટે મહિલા સમન્વયના કાર્યક્રમો, સમૂહલગ્નોત્સવ, સિનિયર સીટીજન્સ માટેના કાર્યક્રમો સહિત સમગ્ર ખમારજ્ઞાતિનાં સેતુરૂપ જ્ઞાતિના મુખપત્ર “ખમાર સંદેશને વધુ વ્યાપક, વાંચન સામગ્રીથી સભર કરવાની ખાત્રી આપેલ. નીચે પ્રમાણે હોદ્દેદારોની વરણી કરાયેલ.

શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળની આગામી 3 વર્ષ 2023-2024-2025 અને 2026ની નવીન ટીમના હોદ્દેદારો…

પ્રમુખ – શૈલેષભાઈ જેસંગભાઈ ખમાર – અમદાવાદ

ઉપપ્રમુખ – (1) અમીતભાઈ   મહેન્દ્રભાઈ – પાટણ અને (2) ડીકેશભાઈ દિપકભાઈ ખમાર – કલોલ

મહામંત્રી – મયુરભાઈ ઇશ્ર્વરભાઇ ખમાર – મહેસાણા

ખજાનચી – ચંદ્રવદન ઠાકોરલાલ ખમાર અમદાવાદ

ખમાર સંદેશ સંપાદક – દિપકભાઈ બાબુભાઇ ખમાર – રાધનપુર અને ભરતભાઈ મોહનભાઈ તંબોળી – અમદાવાદ

મંત્રી –  યોગીનીબેન પ્રકાશભાઈ – અમદાવાદ

Related posts

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસો. દ્વારા બાળાર્પણ અને શાળાર્પણનો કાર્યક્રમ યોજાયો

museb

Vạch Trần Sự Thật Về Mostbet – Chuyện Hoang Đường Về Việc Đăng Ký Mostbet – Thực Hư Ra Sao?

Admin

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસો. દ્વારા મહેશભાઇ શાહના સહકારથી “ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાના બાળકોને સ્વેટર, બુટ-મોજાનું વિતરણ કરાયું

mahagujarat

તૃતીય પીઠાધિશ્ર્વર પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશબાવાની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભંડારનું વાસ્તુપુજન, છપ્પનભોગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

mahagujarat

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોર્પોરેટરો આમને-સામને, કોર્પોરેટરને ‘બુટલેગર’ કહેતા ઇંટનો જવાબ પથ્થરથી આપવા ચીમકી અપાઇ

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે

mahagujarat

Leave a Comment