October 19, 2024
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલની નિયુકિત કરવામાં આવી

કેન્દ્ર અને રાજ્યના મોવડી મંડળે કે.સી.પટેલની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીને ધ્યાનમાં રાખીને મહત્વની જવાબદારી સોંપી.

પાટણના પનોતા પુત્ર અને નાનપણથી જ રાષ્ટ્રીય ભાવના જેમના હૈયે વસેલી છે તેવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી સહિત પાર્ટીના આદેશ મુજબ અનેક જવાબદારીઓ વહન કરનાર કુશળ સંગઠક અને સંગઠનના મહારથી કે.સી.પટેલની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી સાથેની પ્રમાણિકતાને ધ્યાનમાં રાખીને ભાજપાના આગામી સંગઠન પવૅ અનુસંધાને હાથ ધરાનાર સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ ના ઇન્ચાર્જ તરીકે કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા નિયુક્ત કરવામાં આવતાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

કે.સી.પટેલને મળેલી આ મહત્વની જવાબદારીમાં તેઓ સફળ રહે તેવી કામના સાથે સૌ નગરજનો દ્રારા તેઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પાટણના પનોતા પુત્ર કે સી પટેલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ પાર્ટી પ્રત્યે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરી પાર્ટીમાં એક આગવી લોક ચાહના પ્રાપ્ત કરી છે. તેઓને વષૅ ૨૦૧૫ મા પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ મા સહ ઈન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યારે પણ તેઓએ નિષ્ઠા અને પ્રમાણિક પણે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને પાર્ટીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવામાં પણ સફળતા અપાવી  હતી. ત્યારે  વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીમાં કે.સી.પટેલ ને મહત્વની જવાબદારી પ્રાપ્ત થઈ હોય તે માટે તેઓએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય અને રાજ્યના મોવડી મંડળનો સહ હૃદય આભાર વ્યક્ત કરી ગુજરાત રાજ્ય મા ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં સૌથી વધુ લોકોને જોડી પક્ષને વધુ મજબૂત બનાવવા પોતાની તત્પરતા  દશૉવી છે.

Related posts

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

mahagujarat

‘રેડ ક્રોસ આપના દ્વારે ‘માનવતા એ જ અમારો ધર્મ કાર્યક્રમ યોજયો

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

Leave a Comment