Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલની નિયુકિત કરવામાં આવી

કેન્દ્ર અને રાજ્યના મોવડી મંડળે કે.સી.પટેલની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીને ધ્યાનમાં રાખીને મહત્વની જવાબદારી સોંપી.

પાટણના પનોતા પુત્ર અને નાનપણથી જ રાષ્ટ્રીય ભાવના જેમના હૈયે વસેલી છે તેવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી સહિત પાર્ટીના આદેશ મુજબ અનેક જવાબદારીઓ વહન કરનાર કુશળ સંગઠક અને સંગઠનના મહારથી કે.સી.પટેલની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી સાથેની પ્રમાણિકતાને ધ્યાનમાં રાખીને ભાજપાના આગામી સંગઠન પવૅ અનુસંધાને હાથ ધરાનાર સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ ના ઇન્ચાર્જ તરીકે કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા નિયુક્ત કરવામાં આવતાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

કે.સી.પટેલને મળેલી આ મહત્વની જવાબદારીમાં તેઓ સફળ રહે તેવી કામના સાથે સૌ નગરજનો દ્રારા તેઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પાટણના પનોતા પુત્ર કે સી પટેલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ પાર્ટી પ્રત્યે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કાર્ય કરી પાર્ટીમાં એક આગવી લોક ચાહના પ્રાપ્ત કરી છે. તેઓને વષૅ ૨૦૧૫ મા પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ગુજરાત પ્રદેશ મા સહ ઈન્ચાર્જ ની જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યારે પણ તેઓએ નિષ્ઠા અને પ્રમાણિક પણે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને પાર્ટીને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવામાં પણ સફળતા અપાવી  હતી. ત્યારે  વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીમાં કે.સી.પટેલ ને મહત્વની જવાબદારી પ્રાપ્ત થઈ હોય તે માટે તેઓએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય અને રાજ્યના મોવડી મંડળનો સહ હૃદય આભાર વ્યક્ત કરી ગુજરાત રાજ્ય મા ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં સૌથી વધુ લોકોને જોડી પક્ષને વધુ મજબૂત બનાવવા પોતાની તત્પરતા  દશૉવી છે.

Related posts

પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર

museb

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

પાટણ ખમાર જ્ઞાતિના ધો. 1થી12 સુઘી ના તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

museb

પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સ્થાપિત સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી તથા આશ્રમ દ્વારા તૈયાર થયેલ ચાર પુસ્તકોનું વિમોચન કરાયું

museb

પાટણ જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને (IAS) પદભાર સંભાળ્યો

mahagujarat

Leave a Comment