January 20, 2025
Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ પ્રેરીત પાટણના ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને દફતર સહિતની કીટનું વિતરણ કરાયું


પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ પ્રેરીત ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા છેલ્લા 16 વર્ષથી પાટણ શહેરના ધો.1માં પ્રવેશ કરતા બાળકોને પ.પૂ.શ્રી ડોંગરેજી મહારાજના ફોટા સાથેના દફતર-વોટરબેગ-સહિતની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ પાટણ શહેરની સરકારી-ખાનગી શાળાઓમાં ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને આ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ સંતોકબા હોલ, પાટણ ખાતે આજે યોજવામાં આવેલ જેમાં 1500 જેટલા દફતર-સ્લેટ, પેન, વોટરબેગ સહીતની કીટનું વિતરણ કરાયેલ. પાટણની શાળાના શિક્ષકોને તેમની શાળાના લીસ્ટ મુજબ આ કીટનું વિતરણ કરાયેલ.
આ પ્રસંગે ગોપાલકૃષ્ણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. શંકરભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવેલ કે, પાટણમાં ત્રણ વખત પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત્, રામાયણ સપ્તાહનું ભવ્યાતીભવ્ય આયોજન કરાયેલ. આ ત્રણે સપ્તાહમાંથી વધેલી રકમમાંથી ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ. જેના વ્યાજમાંથી પહેલા મધ્યમવર્ગને દર વર્ષે અનાજની કીટનું વિતરણ કરવામાં આવતું હતું. છેલ્લા 15 વર્ષથી આ ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યો દ્વારા ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને દફતર સહિતની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી ડૉ. જે.કે. પટેલે અને યતિનભાઇ ગાંધીએ પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ સાથેના સંસ્મરણો જણાવેલ. કાર્યક્રમનું સંચાલન કરતાં ટ્રસ્ટના કારોબારી સભ્ય હર્ષદભાઇ ખમારે પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજના જીવનનો પરીચય આપતા જણાવેલ કે, પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ કથાકાર સાથે સાચા સંત, સાક્ષાત શુકદેવજીનો અવતાર સમા હતા.

કાર્યક્રમનાં પ્રારંભમાં બોમ્બેમેટલ શાળાના બાળકોની પ્રાર્થના, ભજન, ધુન અને દીપપ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરાયેલ. બાળકોને પ્રતિકાત્મકમ કીટનું વિતરણ કરાયેલ.
આ પ્રસંગે ટ્રસ્ટના કારોબારી સભ્યો ભરતભાઇ પી. પટેલ, ડૉ. સોમભાઇ પટેલ, દિનેશભાઇ જી. પટેલ, શ્રી મનુભાઇ એ. પટેલ, ઘનશ્યામભાઇ પટેલ, નિમેશ વી. પટેલ, પ્રવિણભાઇ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહેલ. શાળાઓમાંથી શિક્ષક ભાઇ-બહેનોએ પણ હાજરી આપી હતી.

Related posts

ભારે ટ્રાફીક ધરાવતો અતિ મહત્ત્વનો પાટણ-ઊંઝા રોડ ઉપર સુજલામ સુફલામ નહેર ઉપરનો પુલ ક્યારે બનશે? : પાંચ વર્ષથી ભયજનક ડાયવર્ઝન અપાયેલું છે

mahagujarat

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત NGES કેમ્પસમાં યુવા રોજગારલક્ષી સ્વાવલંબન કેન્દ્રની શુભ શરૂઆત

mahagujarat

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ITI ખાતે યોજાયો…..

museb

ચતુરભાઈ હીરાભાઈ પટેલ (દેહદાતા) ની પ્રાર્થના સભા યોજાઇ

mahagujarat

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

mahagujarat

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

Leave a Comment