Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરમતરાજ્યશિક્ષણ

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

2 દિવસમાં વાંચન પ્રિય ૧૦,૦૦૦ થી વધુ લોકોએ મુલાકાત કરી

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણ દ્વારા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઇ પ્રાથમિક શાળાનો તા. ૦૯/૦૨/૨૦૨૪ અને તા. ૧૦/૦૨/૨૦૨૪ એમ બેદિવસિય ઈનોવેટીવ પુસ્તક મેળો યોજવામાં આવ્યો.જેનું ઉદ્દઘાટન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ તથા સાથે પ્રો. જય ધ્રુવ, EI મધુબેન,અનિષાબેન દ્વારા કરવામા આવ્યું હતુ.

આ પુસ્તક મેળામાં ભારત અને વિશ્વના નામાંકિત લેખકો દ્વારા લખાયેલ અલગ નોવેલ, બાયોગ્રાફી, બોધ વાર્તાઓ, જનરલ નોલેજ, આર્ટ બુક્સ સહિતના ૧૫૦૦ કરતાં વધુ શીર્ષકો સાથેની વિશાળ શ્રેણી વિધાર્થીઓ, વાલીશ્રીઓ અને પુસ્તક રસિકો માટે પ્રદર્શિત કરવામાં આવેલ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નુ પુસ્તક “પરીક્ષા પે ચર્ચા” કેન્દ્ર બન્યુ હતુ.આ પુસ્તક મેળામાં પાટણના ૧૦,૦૦૦ કરતાં વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લઈ શાળાઓની આ પહેલને હર્ષથી વધાવી કાર્યક્રમને સફળ બનાવેલ. સાથે જ બંને શાળાઓમાં બાળકોએ બનાવેલ વિવિઘ શૈક્ષણિક પ્રોજેક્ટ, સર્જનાત્મક માટીકામ, સુતળી કામ નિહાળી સૌ પ્રફુલ્લિત થયેલ.

તો ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના પુસ્તકોની પ્રદર્શની તેમજ અરવિંદ જીવાભાઇ પ્રા. શાળાનું ગ્રંથ મંદિર આકર્ષણનું કેન્દ્ર બનેલ. કાર્યક્રમની સફળતા બદલ મેનેજમેન્ટ માથી કેમ્પસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ડૉ. જે.એચ. પંચોલી સર અને કોલેજ કેમ્પસ ના CDO પ્રો. જય ધ્રુવે બંને શાળાને અભિનંદન પાઠવ્યા. સફળતાના મુખ્ય સૂત્ર એવા સર્વે મુલાકાતીઓનો બંને શાળાઓના આચાર્યશ્રી ડૉ. ચિરાગભાઈ પટેલ અને શ્રી સંજયભાઈ પંચોલી સહિત શાળા પરિવારે જહેમત ઉઠાવેલ…

Related posts

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

પાટણથી પ્રભાસ પાટણ-સોમનાથની સીધી ટ્રેન શરૂ કરો

mahagujarat

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

mahagujarat

અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ ચાણસ્મા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

museb

રેડ ક્રોસ પાટણ દ્વારા ગવર્મેન્ટની સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયરમેન ટ્રેનિંગ કોર્સ કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો

mahagujarat

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

Leave a Comment