February 12, 2025
Maha Gujarat
Other

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા આજથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અમલી

આજથી સાત સભ્યોની  નિતી નિર્ધારણ સમિતી અમલી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 09/10/2023 થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવેલ છે. ત્યારે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નીતિ નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સાત સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.

આ સમિતિમાં હોદ્દાની રૂએ ચેર પર્સંન તરિકે કુલપતી ડૉ. રોહિતભાઇ દેસાઈ વિવિધ વિષયોના નિષ્ણાત અને વિદ્વાન તરિકે ડૉ. ઉદયભાઈ ચંદ્રકાંત ગોર યુનિવર્સિટીમાં થી પ્રોફેસર તરીકે ડૉ. ઇલાબેન સી પટેલ તેમજ પ્રો. ખુમાન એલ રાઠોડ નોંધાયેલા સ્નાતક પૈકી કિરીટકુમાર બાબુલાલ પરમાર તેમજ હિરેન અમૃતલાલ પટેલ તેમજ ભારતની પારલામેન્ટ દ્વારા રાષ્ટ્રિય હિતલક્ષી સંસ્થામાંથી એટલે કે એન આઇ ડી માંથી  પ્રો. અશોક સુભાષ મંડલ તેમજ મેમ્બર સેક્રેટરી તરીકે હોદ્દાની રૂએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કમલભાઈ મોઢ ની નિમણુંક કરવામાં આવી છે.

આ સમિતી આજથી અમલમાં મુકવામાં આવી છે જેનો કાર્યકાળ 2 વર્ષ 6 માસ રહેશે. આજથી 1986થી અમલમાં આવેલ કોર્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમીક કાઉન્સિલનું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ યુનિવર્સિટીમાં હવે તમામ નીતિ નિર્ધારણ અને નિર્ણાયક ભૂમિકામાં રહેશે.

Related posts

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

પાટણના શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતાં શ્રી ક્ષેમંકરી માતાજીનો મહાઅભિષેક તથા યજ્ઞ યોજાયો

mahagujarat

પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે

mahagujarat

પાટણની હિન્દુ સ્મશાન ભૂમિમાં તૈયાર કરાયેલ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાનું ડૉ. લંકેશ બાપુના હસ્તે અનાવરણ કરાયું

mahagujarat

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

Leave a Comment