Maha Gujarat
Other

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા આજથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અમલી

આજથી સાત સભ્યોની  નિતી નિર્ધારણ સમિતી અમલી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 09/10/2023 થી ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવેલ છે. ત્યારે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નીતિ નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સાત સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.

આ સમિતિમાં હોદ્દાની રૂએ ચેર પર્સંન તરિકે કુલપતી ડૉ. રોહિતભાઇ દેસાઈ વિવિધ વિષયોના નિષ્ણાત અને વિદ્વાન તરિકે ડૉ. ઉદયભાઈ ચંદ્રકાંત ગોર યુનિવર્સિટીમાં થી પ્રોફેસર તરીકે ડૉ. ઇલાબેન સી પટેલ તેમજ પ્રો. ખુમાન એલ રાઠોડ નોંધાયેલા સ્નાતક પૈકી કિરીટકુમાર બાબુલાલ પરમાર તેમજ હિરેન અમૃતલાલ પટેલ તેમજ ભારતની પારલામેન્ટ દ્વારા રાષ્ટ્રિય હિતલક્ષી સંસ્થામાંથી એટલે કે એન આઇ ડી માંથી  પ્રો. અશોક સુભાષ મંડલ તેમજ મેમ્બર સેક્રેટરી તરીકે હોદ્દાની રૂએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કમલભાઈ મોઢ ની નિમણુંક કરવામાં આવી છે.

આ સમિતી આજથી અમલમાં મુકવામાં આવી છે જેનો કાર્યકાળ 2 વર્ષ 6 માસ રહેશે. આજથી 1986થી અમલમાં આવેલ કોર્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમીક કાઉન્સિલનું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ યુનિવર્સિટીમાં હવે તમામ નીતિ નિર્ધારણ અને નિર્ણાયક ભૂમિકામાં રહેશે.

Related posts

પાટણના દ્વારકાધિશ મંદિરના પ્રાંગણમાં આવેલું અનોખું “દ્વારકેશ પુસ્તકાલય આજે અનેક વૈષ્ણવો લાભ લે છે

museb

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

પાટણની હિન્દુ સ્મશાન ભૂમિમાં તૈયાર કરાયેલ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાનું ડૉ. લંકેશ બાપુના હસ્તે અનાવરણ કરાયું

mahagujarat

અમૃત ભારત યોજના હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાશે

mahagujarat

Leave a Comment