Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યશિક્ષણ

પાટણના દ્વારકાધિશ મંદિરના પ્રાંગણમાં આવેલું અનોખું “દ્વારકેશ પુસ્તકાલય આજે અનેક વૈષ્ણવો લાભ લે છે

પાટણના તૃતિય પીઠાધિશ્ર્વર શ્રી દ્વારકાધિશ મંદિર દ્વારા “વાંચે વૈષ્ણવ, વંચાવે વૈષ્ણવના સંદેશા સાથે “શ્રી દ્વારકેશ પુષ્ટિ માર્ગી પુસ્તકાલય મંદિરના પ્રાંગણમાં મુખ્યગેટ પાસે શરૂ કરવામાં આવેલ છે. આ પુસ્તકાલયમાં હસમુખભાઇ સોની સેવાઓ આપી રહ્યા છે. આજથી લગભગ દોઢ વર્ષ પહેલા પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશ કુમારજી મહારાજશ્રીએ આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી આશિર્વાદ પ્રદાન કરેલ. વૈષ્ણવ સૃષ્ટિ માટે પુષ્ટિમાર્ગને લગતા અનેક પુસ્તકો, મેગેજીનો, ધાર્મિક ગ્રંથો આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. વૈષ્ણવોને આ પુસ્તકો ફ્રી વાંચવા આપવામાં આવે છે, રૂબરૂ આવી કે સગાસંબંધીઓ મારફત પણ પુસ્તકો વિગેરે વાંચવા મંગાવી શકાય છે. છેલ્લા દોઢ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ પુસ્તકાલયનો લાભ લીધો છે. પાટણની પ્રખ્યાત ફત્તેસિંહરાવ લાયબ્રેરી દ્વારા પણ આ પુસ્તકાલયને માર્ગદર્શન મળી રહ્યું છે. પાટણના દ્વારકાધિશ મંદિરના ટ્રસ્ટીઓ કૌશિક બી. સોની, ચિનુભાઇ એ. સોની, જશુભાઇ ટી. પટેલ દ્વારા પ્રોત્સાહન અને સહકાર મળે છે. આ પુસ્તકાલયનો વધુને વધુ લોકો લાભ લે તે માટે આ પુસ્તકાલયમાં સેવા આપતા હસમુખભાઇ જે. સોનીએ અપિલ કરી છે.

Related posts

પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ પ્રેરીત પાટણના ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને દફતર સહિતની કીટનું વિતરણ કરાયું

mahagujarat

‘રેડ ક્રોસ આપના દ્વારે ‘માનવતા એ જ અમારો ધર્મ કાર્યક્રમ યોજયો

mahagujarat

પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સ્થાપિત સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી તથા આશ્રમ દ્વારા તૈયાર થયેલ ચાર પુસ્તકોનું વિમોચન કરાયું

museb

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

પ્રો. ડૉ. દિલીપ પટેલને આઇસીએસએસઆર દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ફાળવણી

mahagujarat

રીજીયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે વિશ્વ માતૃભાષા દિવસના ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

mahagujarat

Leave a Comment