
પાટણના તૃતિય પીઠાધિશ્ર્વર શ્રી દ્વારકાધિશ મંદિર દ્વારા “વાંચે વૈષ્ણવ, વંચાવે વૈષ્ણવના સંદેશા સાથે “શ્રી દ્વારકેશ પુષ્ટિ માર્ગી પુસ્તકાલય મંદિરના પ્રાંગણમાં મુખ્યગેટ પાસે શરૂ કરવામાં આવેલ છે. આ પુસ્તકાલયમાં હસમુખભાઇ સોની સેવાઓ આપી રહ્યા છે. આજથી લગભગ દોઢ વર્ષ પહેલા પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશ કુમારજી મહારાજશ્રીએ આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી આશિર્વાદ પ્રદાન કરેલ. વૈષ્ણવ સૃષ્ટિ માટે પુષ્ટિમાર્ગને લગતા અનેક પુસ્તકો, મેગેજીનો, ધાર્મિક ગ્રંથો આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. વૈષ્ણવોને આ પુસ્તકો ફ્રી વાંચવા આપવામાં આવે છે, રૂબરૂ આવી કે સગાસંબંધીઓ મારફત પણ પુસ્તકો વિગેરે વાંચવા મંગાવી શકાય છે. છેલ્લા દોઢ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ પુસ્તકાલયનો લાભ લીધો છે. પાટણની પ્રખ્યાત ફત્તેસિંહરાવ લાયબ્રેરી દ્વારા પણ આ પુસ્તકાલયને માર્ગદર્શન મળી રહ્યું છે. પાટણના દ્વારકાધિશ મંદિરના ટ્રસ્ટીઓ કૌશિક બી. સોની, ચિનુભાઇ એ. સોની, જશુભાઇ ટી. પટેલ દ્વારા પ્રોત્સાહન અને સહકાર મળે છે. આ પુસ્તકાલયનો વધુને વધુ લોકો લાભ લે તે માટે આ પુસ્તકાલયમાં સેવા આપતા હસમુખભાઇ જે. સોનીએ અપિલ કરી છે.

