Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા સંસ્થાના 62મા સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદનો 62મો સ્થાપના દિન ઉજવાયો

બીજ મંત્રથી વટવૃક્ષ બનેલી ભારત વિકાસ પરિષદની શરૂઆત 10 જુલાઈ 1963માં દિલ્હીમાં થઈ હતી. આજે આખા ભારતમાં 1500 જેટલી શાખાઓ કાર્યરત છે. જેમાં 1 લાખથી પણ વધુ પરિવાર સભ્યો જોડાયેલા છે. સેવા અને સંસ્કારના કાર્યની સાથે દેશ પ્રેમના કાર્ય કરતી સંસ્થા આજે 62મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેની ઉજવણી આખા દેશમાં થઈ રહી છે.

આ સંદર્ભે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા આજરોજ સંસ્કાર ગાર્ડન અને લાવણય સોસાયટીની સામે 21 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સંસ્થાના કારોબારી સભ્યો અને દાતાઓ દ્વારા છોડ માટે પાંજરાનો સહયોગ મળ્યો હતો અને તેમના હસ્તેજ આ છોડ વવડાવવામાં આવ્યા હતા.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરપાલિકા કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, સંસ્થાના ટ્રસ્ટીઓ ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી, ગુજરાત ઉત્તર મહામંત્રી પારસભાઈ ખમાર શાખાના મંત્રી મમતાબેન ખમાર, કારોબારી સભ્ય દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, હેમંતભાઈ કાટવાલા, વિજય વી પટેલ, ડૉ. શૈલેષભાઈ સોમપુરા, કમલેશભાઈ સ્વામી, જીતુભાઈ ઓતિયા, નારણભાઈ પટેલ, અંબરભાઈ મોદી, રીતેશભાઈ રામી, રાજુભાઈ પરીખ, મહિલા સયોજિકાઓ મમતાબેન ગાંધી, સ્મિતાબેન વ્યાસ, રક્ષાબેન સોની વગેરે સભ્યો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ માટે સંયોજક પર્યાવરણપ્રેમી શાંતિભાઈ પટેલે ખૂબજ મહેનત કરી હતી અને લોકોને આ છોડ માત્ર વાવવા નહીં પરંતુ નિયમિત જલાભિષેક કરવાનો અને ઉછેર કરવા પણ સૂચન કર્યું હતું. આમ જીવન રક્ષક પ્રાણ વાયુ ફક્ત વૃક્ષો જ તૈયાર કરે છે તે માટે પાટણ શહેરને હરિયાળુ કરવાનો ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આ રોડ પર 100 જેટલા વૃક્ષો પાંજરા સાથે વાવવાનો સંકલ્પ પણ કર્યો છે.

Related posts

શ્રીમંત ફતેસિંહ રાવ લાઈબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સહયોગથી ચાલતી પાણીની પરબનો તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ

museb

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

સત્તાધારી ભાજપની આબરૂના ધજાગરા પાટણ પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો

mahagujarat

પાટણની નર્તન નૃત્ય કલા સંસ્થાનો ‘નૃત્યોપાસના’ કાર્યક્રમ યોજાયો

museb

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

Leave a Comment