Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા સંસ્થાના 62મા સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદનો 62મો સ્થાપના દિન ઉજવાયો

બીજ મંત્રથી વટવૃક્ષ બનેલી ભારત વિકાસ પરિષદની શરૂઆત 10 જુલાઈ 1963માં દિલ્હીમાં થઈ હતી. આજે આખા ભારતમાં 1500 જેટલી શાખાઓ કાર્યરત છે. જેમાં 1 લાખથી પણ વધુ પરિવાર સભ્યો જોડાયેલા છે. સેવા અને સંસ્કારના કાર્યની સાથે દેશ પ્રેમના કાર્ય કરતી સંસ્થા આજે 62મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેની ઉજવણી આખા દેશમાં થઈ રહી છે.

આ સંદર્ભે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા આજરોજ સંસ્કાર ગાર્ડન અને લાવણય સોસાયટીની સામે 21 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સંસ્થાના કારોબારી સભ્યો અને દાતાઓ દ્વારા છોડ માટે પાંજરાનો સહયોગ મળ્યો હતો અને તેમના હસ્તેજ આ છોડ વવડાવવામાં આવ્યા હતા.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નગરપાલિકા કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, સંસ્થાના ટ્રસ્ટીઓ ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી, ગુજરાત ઉત્તર મહામંત્રી પારસભાઈ ખમાર શાખાના મંત્રી મમતાબેન ખમાર, કારોબારી સભ્ય દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, હેમંતભાઈ કાટવાલા, વિજય વી પટેલ, ડૉ. શૈલેષભાઈ સોમપુરા, કમલેશભાઈ સ્વામી, જીતુભાઈ ઓતિયા, નારણભાઈ પટેલ, અંબરભાઈ મોદી, રીતેશભાઈ રામી, રાજુભાઈ પરીખ, મહિલા સયોજિકાઓ મમતાબેન ગાંધી, સ્મિતાબેન વ્યાસ, રક્ષાબેન સોની વગેરે સભ્યો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ માટે સંયોજક પર્યાવરણપ્રેમી શાંતિભાઈ પટેલે ખૂબજ મહેનત કરી હતી અને લોકોને આ છોડ માત્ર વાવવા નહીં પરંતુ નિયમિત જલાભિષેક કરવાનો અને ઉછેર કરવા પણ સૂચન કર્યું હતું. આમ જીવન રક્ષક પ્રાણ વાયુ ફક્ત વૃક્ષો જ તૈયાર કરે છે તે માટે પાટણ શહેરને હરિયાળુ કરવાનો ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આ રોડ પર 100 જેટલા વૃક્ષો પાંજરા સાથે વાવવાનો સંકલ્પ પણ કર્યો છે.

Related posts

પાટણ-ભીલડી રેલ જોડાણ પછી હવે રૂા. 34 કરોડના ખર્ચે પાટણ રેલ્વે સ્ટેશનનું નવસર્જન-આધુનિકરણ થઇ રહ્યું છે

mahagujarat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

museb

NGES કેમ્પસમાં ખોરાકમાં ભેળસેળ અને સલામતી પર વર્કશોપ યોજાયો

museb

શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણ ખાતે બધિર બાળકો એ ઓર્ગેનિક રંગોથી હોળી-ધુળેટી તહેવાર સાથે વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી

mahagujarat

પાટણનાં નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો દ્વિદિવસીય સંગીત સમારોહ યોજાશે

mahagujarat

Leave a Comment