Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં બુથ પ્રમુખ, કાર્યકર્તાઓનું સંમેલ યોજાયું

આપણે મોદી સાહેબને જીતાડવાના છે : સી.આર. પાટીલ

લોકસભાની 543 બેઠકો ઉપર મોદી સાહેબ ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પાટણના આર્શિવાદ પાર્ટીપ્લોટમાં પાટણ લોકસભાના બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના સંયોજકો તથા કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપી હતી. આ સંમેલનને સંબોધતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે, “દેશની 543 બેઠકો ઉપર વડાપ્રધાન મોદી સાહેબ ચૂંટણી લડી રહ્યા છે. આપણે મોદી સાહેબને જીતાડવાના છે આ માટે કાર્યકર્તાઓ પોતાનો ગમો, અણગમો, દુ:ખ મનદુ:ખ ભૂલી કામે લાગી જાય. વડાપ્રધાન મોદીને ત્રીજી વખત વિજતા બનાવીને હેટ્રીક કરવા, કેવા પ્લાનીંગ સાથે કામ કરવું તેની કાર્યકર્તાઓને તેમને ટ્રીક આપી હતી. પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની 182 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. રાજ્યની જનતાએ 156ની રોકર્ડ બહુમતી આપી હતી, છતાં તેની ખુશી વ્યક્ત કરવાના બદલે 26 સીટો હારવા બદલ પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. એ વખતે માત્ર કુલ 3 લાખ 5 હજાર મત ઓછા મળ્યા અને 26 બેઠકો ગુમાવી પડી આ વખતે એવી ચુક રહી ન જાય તે માટે તાકાત લગાવીને કામે લાગવા તેમણે કાર્યકરોને જણાવ્યું. પાટીલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગત ચૂંટણીમાં જીતી ગયા તેનો ભારે અફસોસ વ્યક્ત કરેલ. કાર્યકરોએ વધું તાકાત લગાવી હોય તો જીગ્નેશ મેવાણી ઘરભેગા થઇ ગયા હોત.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, લોકસભા બેઠક પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પ્રવચન કરેલ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય અને લોકસભા ક્લસ્ટર પ્રભારી અમિત ઠાકર, લોકસભા સીટ પ્રભારી અશોક જોષી, નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ – ગીરીશ રાજગોર,  ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, જયશ્રીબેન દેસાઈ,જિલ્લા પંચાયત પ્રમુખ – હેતલબેન ઠાકોર, પૂર્વ મંત્રીઓ દિલીપ ઠાકોર અને રણછોડ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, શક્તિ કેન્દ્રના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પુસ્તકો પાસેથી સકારાત્મક અભિગમ મેળવીને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

mahagujarat

પાટણ જિલ્લાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજજ

museb

“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .

mahagujarat

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત NGES કેમ્પસમાં યુવા રોજગારલક્ષી સ્વાવલંબન કેન્દ્રની શુભ શરૂઆત

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે

mahagujarat

Leave a Comment