Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

પાટણનું આ સાયન્સ સેન્ટર આજે સૌથી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે : ડૉ. સુમિત શાસ્ત્રી

 

પાટણ આજે જેના માટે ગૌરવ લઇ શકે તેવું રીજીયોનલ સાયન્સ સેન્ટર અને ડાયનાસોરપાર્ક પાટણ શિહોરી રોડ ઉપર આકાર પામેલ છે. આ સેન્ટરની અત્યાર સુધી 934654 જેટલા શાળાના વિદ્યાર્થીઓ-મુલાકાતીઓએ વિજીટ કરી, આ અદ્ભુત સેન્ટરને નિહાળવાનો રેકોર્ડ કરેલ છે.


આ સેન્ટરમાં આજે “સેવંતીલાલ કાન્તીલાલ ટ્રસ્ટ (એસ.કે. ટ્રસ્ટ) મુંબઇ, હસ્તે : પ્રફુલભાઇ કાન્તીલાલ શાહ તરફથી સ્માર્ટ ક્લાસનું દાન કરવામાં આવેલ. આ સ્માર્ટ ક્લાસના અર્પણવિધિ પ્રસંગે દાતા પ્રફુલભાઇ શાહ, આ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિતભાઇ શાસ્ત્રી, હર્ષદભાઇ ખમાર, અશોકભાઇ વ્યાસ, રાજ મહારાજા સહિત પ્રફુલભાઇ શાહ પરિવારના પ્રવિણભાઇ શાહ અને સુધાબેન શાહ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ડૉ. સુમિતભાઇ શાસ્ત્રીએ આ સાયન્સ સેન્ટર વિષે વિગતે માહિતી આપેલ.

રાજ્યમાં શરૂ થયેલ આ પ્રકારના સાયન્સ સેન્ટરોમાં પાટણ સેન્ટરમાં સૌથી વધારે મુલાકાતીઓ આવ્યા હોવાનું તેમણે જણાવેલ. આ સેન્ટર પાટણની વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવ સાથે પાટણનું એક સૌથી વિશેષ આકર્ષણ બન્યુ હોવાનું પણ તેમણે જણાવેલ. ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ એસ.કે. પરિવાર અને પ્રફુલભાઇનો સ્માર્ટ ક્લાસનું દાન આપવા બદલ આભાર માન્યો હતો.
આ પ્રસંગે સાયન્સ સેન્ટરના ફેીસલીટી મેનેજર જીત પટેલ, મેન્ટેન્સ મેનેજર હરેશ પટેલ, કોમ્યુનિકેશન મેનેજર ઉજ્જવલકુમાર, ટેક્નીકલ આસિસ્ટન્ટ જનક તપોધને પણ હાજર રહી પૂરક માહિતી પૂરી પાડેલ.

Related posts

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

પુસ્તકો પાસેથી સકારાત્મક અભિગમ મેળવીને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

mahagujarat

પાટણના દ્વારકાધિશ મંદિરના પ્રાંગણમાં આવેલું અનોખું “દ્વારકેશ પુસ્તકાલય આજે અનેક વૈષ્ણવો લાભ લે છે

museb

પાટણની ૧૪૪મી ઐતિહાસિક રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના ભવ્ય ‘મામેરાના યજમાન’ બનવાનું પરમ સૌભાગ્ય ડૉ. જયેશભાઈ મોદી પરિવારને પ્રાપ્ત થયું

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

Leave a Comment