Maha Gujarat
IndiaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીયશિક્ષણ

ગૌ ભાગવત કથા ના આમંત્રણ આપવા માટે ત્રણ ગૌ રથો નું પ્રસ્થાન થયું

દરેક ગામોમાં ગૌ ભક્તો આમંત્રણ આપવા માટે રુબરુ જશે

હરીઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા ના લાભાર્થે આગામી ડિસેમ્બર મહિનાની પહેલી તારીખ થી સાતમી તારીખ સુધી યોજાનાર ગૌ ભાગવત કથા નું આમંત્રણ આપવા માટે આજરોજ સુરભી રથ, કપિલા રથ તથા દેવકી રથ નું પ્રસ્થાન નાની બાળકીઓએ કળશ ધારણ કરી, ઉપસ્થિત મોટી સંખ્યામાં ગૌ ભક્તોએ ગૌ માતા ની આરતી ઉતારી પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજ દ્વારા શ્રીફળ વધેરી પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં રથ નું પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે વાળીનાથ ચોક ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં ગૌ ભક્તો ને આશિર્વચન આપતાં પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે,પાટણ ના આંગણે પૂજ્ય કાંચી પીઠ ના શંકરાચાર્ય સહિત અનેક સંતો ના પગલાં પડવાથી આ પંથક ધન્ય બનશે એમણે જણાવ્યું હતું કે આ રથયાત્રા દરમિયાન દરેક ગામોમાં દરેક ને આમંત્રણ આપવામાં આવશે તથા ગામડાઓ માં બેનરો, સ્ટિકરો તથા પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવશે પ્રત્યેક પરિવાર ગૌ ગ્રાસ સ્વરૂપે રૂપિયા પચાસ નું દાન કરશે તથા ગામના મુખ્ય વિસ્તારોમાં રથ નું ભ્રમણ થશે અને ગૌ હોસ્પિટલ નિર્માણ કાર્ય ના સહયોગ અને કથા નું રસપાન કરવા માટે દરેક ને અનાવાડા ગૌશાળા ખાતે લાવવા માટે ગ્રામ સમિતિ બનાવી ગામના યુવાનો તેનું આયોજન કરશે રથયાત્રા દરમિયાન રાત્રે ભજન કીર્તન તથા ગૌ ડાયરો થશે અત્રે જણાવતા આનંદ થાય છે કે પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉંઝા તાલુકાના મિત્રો પણ રથ લઈને ઉંઝાના ગામે ગામ રથ લઈને ભ્રમણ કરી રહ્યા છે પાટણ માં માતૃશક્તિ સંમેલન તથા સજ્જન શક્તિ સંમેલન બાદ ઉંઝા માં પણ માતૃશક્તિ સંમેલન થયું હતું જેમાં મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી આવનાર સમયમાં સમગ્ર પાટણ માં બેનરો તથા કમાનો દ્વારા સમગ્ર અનાવાડા તરફ ના રસ્તા પર સુશોભન કરવામાં આવશે શંકરાચાર્ય સહિત દેશભરના સંતો તથા રાજકીય/ ધાર્મિક/ સામાજિક આગેવાનો ને સત્કારવા માટે ગૌશાળા તરફથી સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે આગામી સમયમાં પાટણ શહેરમાં શહેર સમિતિ દ્વારા શહેર ને ત્રણ ભાગમાં વહેંચી દરેક સોસાયટીમાં રથ જશે જેની મુખ્ય સમિતિ સહિત અન્ય ત્રણ સમિતિઓ ની રચના કરવામાં આવી છે સોસાયટીઓમા રથયાત્રા સમયે સમગ્ર પાટણ ગૌ‌ મય બની જશે ગામોમાં તથા શહેરની સોસાયટીમાં જ્યારે રથ આવે ત્યારે સૌને સહકાર આપવા માટે પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે સૌને પ્રાર્થના કરી છે

 

Related posts

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા લાખો ભક્તોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય નિકળશે

mahagujarat

પાટણની ગજાનન વાડીમાં મૃણમયી ‘શ્રી’ની સ્થાપના ૧૪૮માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ કરાયો

mahagujarat

પાટણ જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને (IAS) પદભાર સંભાળ્યો

mahagujarat

માઁનો પરિવાર દ્વારા યોજાયેલ નાટક “આજ જાને કી જીદ ના કરોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

mahagujarat

શ્રીમંત ફતેસિંહ રાવ લાઈબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સહયોગથી ચાલતી પાણીની પરબનો તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ

museb

Leave a Comment