February 11, 2026
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાશિક્ષણ

“સ્વસ્થ મન, ઉજ્જવળ ભવિષ્ય” — બીઆઈપીએસમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સેમિનાર

વિશ્વ માનસિક આરોગ્ય દિવસના અવસરે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અને સમજણ ફેલાવવાના હેતુસર એક વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ડૉ. વિપુલ શાહ તથા ડૉ. બિપિન પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। બંને વિખ્યાત નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે સહજ અને અસરકારક સંવાદ કરતાં સમજાવ્યું કે — “સ્વસ્થ મન જીવનની દરેક સફળતાનું મજબૂત આધારસ્તંભ છે।”
તેમણે માનસિક સંતુલન, આત્મવિશ્વાસ, સકારાત્મક વિચારધારા, અને તણાવ નિવારણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી, સાથે જ રોજિંદા જીવનમાં માનસિક આરોગ્ય જાળવવા માટેના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું।
આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યુ હતું કે BIPS હંમેશાં વિદ્યાર્થીઓના માનસિક, શારીરિક અને નૈતિક — ત્રણેય દિશામાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે।

સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ અનુભવી લીધું કે —“સ્વસ્થ મન એટલે સુખી જીવન, અને મજબૂત મન એટલે સફળતા તરફનું પ્રથમ પગલું.”

Related posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

ધ્વનિ સંગીત પરિવાર દ્વારા કૃષ્ણભક્તિમાં રસ તરબોળ કરી દેતો ‘શ્રીકૃષ્ણ: શરણં મમ્’ કાર્યક્રમ યોજાયો

museb

પાટણની નર્તન નૃત્ય ક્લા સંસ્થા દ્વારા ચિ. અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી ભરત નાટ્યમ્ આરંગત્રમ્ની પ્રસ્તુતિ હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કરાશે

museb

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

mahagujarat

શ્રીમંત ફતેસિંહ રાવ લાઈબ્રેરી અને પાટણ નગર સેવા સદનના સહયોગથી ચાલતી પાણીની પરબનો તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ

museb

Leave a Comment