Maha Gujarat
Other

શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્રારા નવીન બનનાર ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા દાતાશ્રી અરવિંદભાઈ કૃષ્ણાલાલ દવે અને જયશ્રીબેન અરવિંદભાઈ દવેના સહીયોગથી આકાર લેનાર પાટણના નગરજનોના લાભાર્થે ચંદ્ર – કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન પાટણના વિદ્વાન બ્રાહ્મણ શ્રી અમિતભાઈ ઓઝા દ્વારા વિધિવ્રત રીતે કરવામાં આવ્યું. આ હોલ ઉપર નીચે બંને બાજુ આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવશે જેનો સંપૂર્ણ ખર્ચ દાતાશ્રી દ્વારા આપવામાં આવશે. આ હોલમાં પાટણમાં વરિષ્ઠ નાગરિકોને પોતાના નિવૃત્ત જીવનનો ઉત્તમ સમય પસાર થાય તે હેતુથી હોમ થિયેટર સાથે સમાચાર, ધાર્મિક પ્રવચનો, મનોરંજન કાર્યક્રમો, મોટીવેશનલ લેક્ચર, વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના લેક્ચર તેમજ વિવિધ પુસ્તકોના પ્રવચનો વગેરે આધુનિક પદ્ધતિથી દર્શાવવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આવી સુવિધાથી સજજ પ્રથમ લાઇબ્રેરી બનશે.

આ પ્રસંગે કૈલાશબેન વ્યાસ, મનોજભાઈ વ્યાસ, પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા, પ્રમુખ હિરલબેન પરમાર, મનોજભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ ભાટિયા, માહસુખભાઈ મોદી, રાજેશભાઇ પરીખ, હર્ષદભાઈ પ્રજાપતિ, નટવરભાઈ દરજી, નગીનભાઇ, જયેશભાઇ વ્યાસ, ચેતનભાઈ દેસાઈ, જ્યોતિન્દ્ર ભટ્ટ, કમલેશભાઇ સ્વામી, દિનેશભાઇ પ્રજાપતિ તથા અન્ય કારોબારી સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહેલ. આ હોલનુંસુંદર પ્લાનીંગ ગુજરાતના વિખ્યાત આર્કીટેક્ટ એમ.એમ. પટેલ દ્વારા કરાયેલ છે.

અહેવાલ : હર્ષદ ખમાર

Related posts

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

Mosbet Rəsmi Saytı: Onlayn Kazinoda Oynamaq Üçün Ən Etibarlı Platforma

Admin

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં આસો નવરાત્રિનું ભવ્યાતિભવ્ય આયોજન

mahagujarat

અખિલ ખમાર જ્ઞાતિ સમાજના નવીન 3 વર્ષના હોદ્દેદારોની વરણી કરાઇ

museb

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

Leave a Comment