February 15, 2026
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે


મંદિરમાં બ્રહ્મસબંધ દિક્ષા આપશે : ભગવાન જગદીશની રથયાત્રામાં ભાગ લેશે અને આર્શિવચન પાઠવશે

અષાઢી બીજની ભગવાન જગદીશની પાટણમાં નિકળનારી 141મી રથયાત્રા નિમિત્તે પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રી પાટણ પધારી રથયાત્રાને પ્રસ્થાન કરાવી સમગ્ર રથયાત્રામાં ઉપસ્થિત રહેશે, જેના કારણે વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે. પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશકુમારજી મંગળવારે વહેલી સવારે 7-00 કલાકે પાટણના દ્વારકાધિશ મંદિરમાં પધારશે. સવારે તેઓશ્રી બ્રહ્મસબંધ દિક્ષા પણ આપશે. બપોરે મંદિરમાં કુલમંડળીનો મનોરથ યોજાશે. બાદ રથયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે શયનમાં પૂ.શ્રીની ઉપસ્થિતિમાં મંદિરમાં નાવનો મનોરથ યોજાશે. તેઓશ્રીના પાટણના એક દિવસના કાર્યક્રમથી પાટણની વૈષ્ણવ સૃષ્ટિમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે.

 

Related posts

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

પાટણના નગરદેવીના મંદિરમાં બેદિવસીય પંદરમાં શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

mahagujarat

પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

museb

પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળાને ઐતિહાસિક દરજ્જો આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

પાટણની ગજાનન વાડીમાં મૃણમયી ‘શ્રી’ની સ્થાપના ૧૪૮માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ કરાયો

mahagujarat

Leave a Comment