Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે


મંદિરમાં બ્રહ્મસબંધ દિક્ષા આપશે : ભગવાન જગદીશની રથયાત્રામાં ભાગ લેશે અને આર્શિવચન પાઠવશે

અષાઢી બીજની ભગવાન જગદીશની પાટણમાં નિકળનારી 141મી રથયાત્રા નિમિત્તે પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રી પાટણ પધારી રથયાત્રાને પ્રસ્થાન કરાવી સમગ્ર રથયાત્રામાં ઉપસ્થિત રહેશે, જેના કારણે વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે. પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશકુમારજી મંગળવારે વહેલી સવારે 7-00 કલાકે પાટણના દ્વારકાધિશ મંદિરમાં પધારશે. સવારે તેઓશ્રી બ્રહ્મસબંધ દિક્ષા પણ આપશે. બપોરે મંદિરમાં કુલમંડળીનો મનોરથ યોજાશે. બાદ રથયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે શયનમાં પૂ.શ્રીની ઉપસ્થિતિમાં મંદિરમાં નાવનો મનોરથ યોજાશે. તેઓશ્રીના પાટણના એક દિવસના કાર્યક્રમથી પાટણની વૈષ્ણવ સૃષ્ટિમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે.

 

Related posts

એલ. એન. કે. કોલેજ ઓફ એજ્યુકેશન, પાટણની ગોલ્ડ મેડલમાં હેટ્રિક…

museb

અમૃત ભારત યોજના હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાશે

mahagujarat

પાટણમાં માઁ પરિવાર દ્વારા રાધે રાસોત્સવનું ભવ્ય આયોજન કરાશે

mahagujarat

પાટણની નૂતન વિનય મંદિર શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ : સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ, શૈક્ષણિક કીટ વિતરણ અને ખેલ પ્રતિભાઓનું સન્માન

mahagujarat

પાટણની શ્રી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

mahagujarat

ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે “The Power of Early Years Parenting” વિષયક વર્કશોપનું આયોજન

mahagujarat

Leave a Comment