Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે


મંદિરમાં બ્રહ્મસબંધ દિક્ષા આપશે : ભગવાન જગદીશની રથયાત્રામાં ભાગ લેશે અને આર્શિવચન પાઠવશે

અષાઢી બીજની ભગવાન જગદીશની પાટણમાં નિકળનારી 141મી રથયાત્રા નિમિત્તે પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રી પાટણ પધારી રથયાત્રાને પ્રસ્થાન કરાવી સમગ્ર રથયાત્રામાં ઉપસ્થિત રહેશે, જેના કારણે વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે. પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશકુમારજી મંગળવારે વહેલી સવારે 7-00 કલાકે પાટણના દ્વારકાધિશ મંદિરમાં પધારશે. સવારે તેઓશ્રી બ્રહ્મસબંધ દિક્ષા પણ આપશે. બપોરે મંદિરમાં કુલમંડળીનો મનોરથ યોજાશે. બાદ રથયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે શયનમાં પૂ.શ્રીની ઉપસ્થિતિમાં મંદિરમાં નાવનો મનોરથ યોજાશે. તેઓશ્રીના પાટણના એક દિવસના કાર્યક્રમથી પાટણની વૈષ્ણવ સૃષ્ટિમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે.

 

Related posts

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગીરીશભાઇ રાજગોરનો પદગ્રહણ સમારંભ યોજાયો

mahagujarat

પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ પ્રેરીત પાટણના ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને દફતર સહિતની કીટનું વિતરણ કરાયું

mahagujarat

ચીકી વૈકલ્પિક પ્રસાદ તરીકે પણ ના ચાલે…..

mahagujarat

સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઇ

mahagujarat

‘રેડ ક્રોસ આપના દ્વારે ‘માનવતા એ જ અમારો ધર્મ કાર્યક્રમ યોજયો

mahagujarat

Leave a Comment