Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

આ રેલ લાઇનનો મહત્ત્વની રાષ્ટ્રીય રેલલાઇનમાં સમાવેશ….!

રેલ્વે તંત્ર દ્વારા મહેસાણા-પાટણ-ભિલડી વચ્ચેની ૯૦:૬૩ કી.મી.ની રેલલાઇનને ડબલીંગ કરવાનું નક્કી કરી તેનો સર્વે કરવાનું કામ હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. આ સર્વે માટે તાજેતરમાં પશ્ર્ચિમ રેલ્વેના અમદાવાદ ડીવીઝન દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ સર્વેમાં ભૂમી અન્વેષણ, ડ્રોન લાઇડર સર્વે સહિત અંતિમ સ્થળ સર્વેનું સંચાલન કરવાનું, હાઇડ્રોલોજીકલ અને ક્ષેત્રિય ડેટા એકત્રીત કરવાનું, બ્રિજોના જીએડીએસ અને વિગતવાર એલ સેકસન, પ્લાન્સ ઇએસપીએસ સહિત ભૂમી અહેવાલો, નવી ભૂમી સંપાદન કરવાની દરખાસ્તો સહિત ભૂમિ સીમાઓના સિમાંકન વિગેરે તૈયાર કરવાનું, જમા કરવાનું, વિગતવાર અહેવાલો રજૂ કરવાના કામના એજન્સીઓ પાસે ટેન્ડર માંગવામાં આવેલ છે. આ સર્વેનું કામ માત્ર ૬ મહિનામાં જ પૂર્ણ કરવાની મુદ્દત રખાયેલ છે.

સર્વ કરવાના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું..

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા, પાટણ, ભિલડીની ૯૦ કી.મી.ની રેલલાઇનનો મહત્ત્વની રાષ્ટ્રીય રેલલાઇનમાં સમાવેશ કરી આ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. આ ઉપરાંત અમદાવાદ-વિરમગામ-સામખ્યારી રેલલાઇનને ચાર લાઇનમાં ફેરવવાનો પણ સર્વે કરવામાં આવશે.

ગુજરાતના 87 જેટલા રેલવે સ્ટેશનો ને નવિનીકરણ કરી વર્લ્ડ કલાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે અમૃત ભારત વિકાસ યોજના માં પાટણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરાયો હોવાનું પણ જાણવા મળેછે

હર્ષદ ખમાર દ્વારા …

Related posts

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત 9,80,000/ નવ લાખ એંસી હજાર રૂપિયાનું ABG (Arterial Blood Gas) મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું.

mahagujarat

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

mahagujarat

સમી ખાતે નારી સંમેલન યોજાયું: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું

mahagujarat

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

ભારત વિકાસ પરિષદ-પાટણ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ

mahagujarat

“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .

mahagujarat

Leave a Comment