Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

આ રેલ લાઇનનો મહત્ત્વની રાષ્ટ્રીય રેલલાઇનમાં સમાવેશ….!

રેલ્વે તંત્ર દ્વારા મહેસાણા-પાટણ-ભિલડી વચ્ચેની ૯૦:૬૩ કી.મી.ની રેલલાઇનને ડબલીંગ કરવાનું નક્કી કરી તેનો સર્વે કરવાનું કામ હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. આ સર્વે માટે તાજેતરમાં પશ્ર્ચિમ રેલ્વેના અમદાવાદ ડીવીઝન દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ સર્વેમાં ભૂમી અન્વેષણ, ડ્રોન લાઇડર સર્વે સહિત અંતિમ સ્થળ સર્વેનું સંચાલન કરવાનું, હાઇડ્રોલોજીકલ અને ક્ષેત્રિય ડેટા એકત્રીત કરવાનું, બ્રિજોના જીએડીએસ અને વિગતવાર એલ સેકસન, પ્લાન્સ ઇએસપીએસ સહિત ભૂમી અહેવાલો, નવી ભૂમી સંપાદન કરવાની દરખાસ્તો સહિત ભૂમિ સીમાઓના સિમાંકન વિગેરે તૈયાર કરવાનું, જમા કરવાનું, વિગતવાર અહેવાલો રજૂ કરવાના કામના એજન્સીઓ પાસે ટેન્ડર માંગવામાં આવેલ છે. આ સર્વેનું કામ માત્ર ૬ મહિનામાં જ પૂર્ણ કરવાની મુદ્દત રખાયેલ છે.

સર્વ કરવાના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું..

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા, પાટણ, ભિલડીની ૯૦ કી.મી.ની રેલલાઇનનો મહત્ત્વની રાષ્ટ્રીય રેલલાઇનમાં સમાવેશ કરી આ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. આ ઉપરાંત અમદાવાદ-વિરમગામ-સામખ્યારી રેલલાઇનને ચાર લાઇનમાં ફેરવવાનો પણ સર્વે કરવામાં આવશે.

ગુજરાતના 87 જેટલા રેલવે સ્ટેશનો ને નવિનીકરણ કરી વર્લ્ડ કલાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે અમૃત ભારત વિકાસ યોજના માં પાટણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરાયો હોવાનું પણ જાણવા મળેછે

હર્ષદ ખમાર દ્વારા …

Related posts

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

પાટણમાં ભગવાન પદ્મનાથના સપ્ત રાત્રી મેળાનો પ્રારંભ થશે

museb

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

આજે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી.ના દિને યશવિલા સોસાયટીમાં હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

mahagujarat

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કોર્પોરેટરો આમને-સામને, કોર્પોરેટરને ‘બુટલેગર’ કહેતા ઇંટનો જવાબ પથ્થરથી આપવા ચીમકી અપાઇ

mahagujarat

હાલ ૨૦ એપ્રિલથી ૩૦ જૂન સુધી દોડશે આખરે પાટણ-ભિલડી લોકલ ટ્રેનનો પ્રારંભ થયો

mahagujarat

Leave a Comment