February 12, 2025
Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

આ રેલ લાઇનનો મહત્ત્વની રાષ્ટ્રીય રેલલાઇનમાં સમાવેશ….!

રેલ્વે તંત્ર દ્વારા મહેસાણા-પાટણ-ભિલડી વચ્ચેની ૯૦:૬૩ કી.મી.ની રેલલાઇનને ડબલીંગ કરવાનું નક્કી કરી તેનો સર્વે કરવાનું કામ હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. આ સર્વે માટે તાજેતરમાં પશ્ર્ચિમ રેલ્વેના અમદાવાદ ડીવીઝન દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ સર્વેમાં ભૂમી અન્વેષણ, ડ્રોન લાઇડર સર્વે સહિત અંતિમ સ્થળ સર્વેનું સંચાલન કરવાનું, હાઇડ્રોલોજીકલ અને ક્ષેત્રિય ડેટા એકત્રીત કરવાનું, બ્રિજોના જીએડીએસ અને વિગતવાર એલ સેકસન, પ્લાન્સ ઇએસપીએસ સહિત ભૂમી અહેવાલો, નવી ભૂમી સંપાદન કરવાની દરખાસ્તો સહિત ભૂમિ સીમાઓના સિમાંકન વિગેરે તૈયાર કરવાનું, જમા કરવાનું, વિગતવાર અહેવાલો રજૂ કરવાના કામના એજન્સીઓ પાસે ટેન્ડર માંગવામાં આવેલ છે. આ સર્વેનું કામ માત્ર ૬ મહિનામાં જ પૂર્ણ કરવાની મુદ્દત રખાયેલ છે.

સર્વ કરવાના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું..

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા, પાટણ, ભિલડીની ૯૦ કી.મી.ની રેલલાઇનનો મહત્ત્વની રાષ્ટ્રીય રેલલાઇનમાં સમાવેશ કરી આ સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. આ ઉપરાંત અમદાવાદ-વિરમગામ-સામખ્યારી રેલલાઇનને ચાર લાઇનમાં ફેરવવાનો પણ સર્વે કરવામાં આવશે.

ગુજરાતના 87 જેટલા રેલવે સ્ટેશનો ને નવિનીકરણ કરી વર્લ્ડ કલાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે અમૃત ભારત વિકાસ યોજના માં પાટણ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરાયો હોવાનું પણ જાણવા મળેછે

હર્ષદ ખમાર દ્વારા …

Related posts

NGES કેમ્પસમાં ખોરાકમાં ભેળસેળ અને સલામતી પર વર્કશોપ યોજાયો

museb

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

પાટણની હિન્દુ સ્મશાન ભૂમિમાં તૈયાર કરાયેલ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાનું ડૉ. લંકેશ બાપુના હસ્તે અનાવરણ કરાયું

mahagujarat

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાટણ સેન્ટર સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે

museb

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે

mahagujarat

Leave a Comment