Maha Gujarat
Other

પાટણ ખમાર જ્ઞાતિ દ્રારા માતાજીના વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

પાટણ ખમાર જ્ઞાતિના જ્ઞાતિજનો દ્રારા ચાલુ સાલે આસો સુદ ૧૩ ને રવિવારના રોજ માતાજીના વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. વાડીમાં મંદિરને સુંદર શણગારી મહાકાળી માતાજીને તેમજ રામજી ભગવાનને ફુલોની સુંદર આંગી રસિકલાલ દેવચંદદાસ ખમાર પરિવાર તરફથી કરવામાં કરવામાં આવી હતી. જ્યારે માતાજીને સાડીની શોભા ડો. નિખિલભાઇ બાબુભાઇ તથા ડો. વિમલભાઇ બાબુભાઇ ખમાર પરિવારે કરી હતી. ત્યાર બાદ સાંજે માતાજીને પાલખીમાં પધરાવી વાજતે ગાજતે સમગ્ર શહેરની પરિક્રમા કરાવી હતી. જેમાં તમામ ભાઇ બહેનોએ જોડાઇ અને વરઘોડાની શોભા વધારી હતી અને બહેનોએ આનંદ થી ગરબા ગાઈ વરઘોડાની મજા માણી હતી. માતાજીની પાલખીને ખભે ઉચકીને શહેરની પરિક્રમા કરવા માટેનો લ્હાવો ચિતરંજન કનૈયાલાલ ખમાર પરિવાર તેમજ હસમુખભાઇ સોમાભાઇ ખમાર પરિવારે લીધો હતો. જ્યારે માતાજીને પાલખીમાં પધરાવવા માટે નટુભાઈ ઘેલાભાઈ ખમાર પરિવાર, વરઘોડામાં રામણદીવો લેવા માટે રસીકલાલ દેવચંદદાસ ખમાર પરિવાર અને પ્રસાદ માટે પુનમચંદ ગોપાલદાસ ખમાર પરિવારે લાભ લીધો હતો.

જ્યારે સમગ્ર શહેરની પરિક્રમા કરી માતાજી નિજ મંદિરમાં પરત પધાર્યા ત્યારે માતાજીને પોખવા માટે, રમેશભાઈ પોપટલાલ ખમાર પરિવાર, ( વડોદરા ) – માતાજીને તેમના મૂળ સ્થાને બેસાડવા માટે પોપટલાલ નાગરદાસ ખમાર પરિવાર, (વડોદરા) અને માતાજીની મહાઆરતી ઉતારવા માટે શાહિલ નરેન્દ્રભાઈ ખમાર પરિવારે ( સાફાવાળા ), લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અને અંતમાં સમગ્ર જ્ઞાતિજનોએ સાથે પ્રસાદ લઇ માતાજીની પરમ કૃપા જ્ઞાતિ પર થઇ એવો અહેસાસ અનુભવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના પ્રમુખશ્રી મધુભાઇ ખમાર અને હર્ષદભાઇ ખમાર ની સાથે તમામ ટ્રસ્ટીશ્રી, મહામંડળના પદાધિકારીઓ અને તમામ પ્રતિનિધીઓ તેમજ જ્ઞાતિજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

પાટણથી આવતી – જતી ટ્રેનોનું સમય પત્રક….

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે

mahagujarat

અખિલ ખમાર જ્ઞાતિ સમાજના નવીન 3 વર્ષના હોદ્દેદારોની વરણી કરાઇ

museb

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .

mahagujarat

Leave a Comment