September 26, 2023
Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે


આ વર્ષે યજમાન પરિવાર દ્વારા ભગવાનનું ભવ્ય મામેરું ભરાશે : યજમાન પરિવારના નિવાસસ્થાનેથી શોભાયાત્રા નિકળશે

સમગ્ર ભારત ભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ ની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તારીખ 20 જૂનના રોજ નીકળનાર છે. રથયાત્રાને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણ શહેરના ભગવાન જગન્નાથજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાન જગન્નાથજીની આ 141મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાને અનુલક્ષીને તારીખ 18 જૂન ના રોજ ભગવાન ના મામેરાનો લાભ લેનાર આ વખતે યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલે લીધો છે. તેમના ભગવતીનગર ખાતેના નિવાસ્થાને ભગવાનનું મામેરુ લોક દર્શનાર્થે પાથરવામાં આવશે. આ મામેરામા 3 મુગટ, 3 સેટ, સોળશણગાર, રૂ.1.71 લાખ રોકડ, 750 ગ્રામ ચાંદી, રેશમી કપડાં, પીતાંબર સહિતનું ભગવાનનું મામેરુ ભરાશે. જે મામેરૂ તા. તા. 19 જુનના રોજ યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલના ભગવતી નગર ખાતેના નિવાસ


સ્થાનેથી સાંજે 5:00 કલાકે વાજતે ગાજતે સણગારેલી બગીમાં મામેરું નીકળશે. જે શહેરના બગવાડા દરવાજા, હિગળાચાચર થઈ ને ભગવાન જગન્નાથજી ના મંદિર ખાતે આવશે, જયાં મામેરાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ઉપસ્થિત ભક્તો દ્વારા ભવ્ય સામૈયુ કરાશે.


ભગવાન શ્રી જગન્નાથજીની 141મી રથયાત્રા ના મામેરા સહિત વિષ્ણુયાગ તેમજ અન્ય આયોજિત ધાર્મિક પ્રસંગનો લાભ લેવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ક્ધવીનર પિયુષભાઈ આચાર્ય દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

Related posts

આજે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી.ના દિને યશવિલા સોસાયટીમાં હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

mahagujarat

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

હેરિટેજ કરાઓકે ગ્રુપ ઓફ પાટણ દ્વારા સંગીત સે સેવાનું આયોજન કરાયું

mahagujarat

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે. પટેલ પુનઃ વરણી..

mahagujarat

Leave a Comment