Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે


આ વર્ષે યજમાન પરિવાર દ્વારા ભગવાનનું ભવ્ય મામેરું ભરાશે : યજમાન પરિવારના નિવાસસ્થાનેથી શોભાયાત્રા નિકળશે

સમગ્ર ભારત ભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ ની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તારીખ 20 જૂનના રોજ નીકળનાર છે. રથયાત્રાને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણ શહેરના ભગવાન જગન્નાથજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાન જગન્નાથજીની આ 141મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાને અનુલક્ષીને તારીખ 18 જૂન ના રોજ ભગવાન ના મામેરાનો લાભ લેનાર આ વખતે યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલે લીધો છે. તેમના ભગવતીનગર ખાતેના નિવાસ્થાને ભગવાનનું મામેરુ લોક દર્શનાર્થે પાથરવામાં આવશે. આ મામેરામા 3 મુગટ, 3 સેટ, સોળશણગાર, રૂ.1.71 લાખ રોકડ, 750 ગ્રામ ચાંદી, રેશમી કપડાં, પીતાંબર સહિતનું ભગવાનનું મામેરુ ભરાશે. જે મામેરૂ તા. તા. 19 જુનના રોજ યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલના ભગવતી નગર ખાતેના નિવાસ


સ્થાનેથી સાંજે 5:00 કલાકે વાજતે ગાજતે સણગારેલી બગીમાં મામેરું નીકળશે. જે શહેરના બગવાડા દરવાજા, હિગળાચાચર થઈ ને ભગવાન જગન્નાથજી ના મંદિર ખાતે આવશે, જયાં મામેરાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ઉપસ્થિત ભક્તો દ્વારા ભવ્ય સામૈયુ કરાશે.


ભગવાન શ્રી જગન્નાથજીની 141મી રથયાત્રા ના મામેરા સહિત વિષ્ણુયાગ તેમજ અન્ય આયોજિત ધાર્મિક પ્રસંગનો લાભ લેવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ક્ધવીનર પિયુષભાઈ આચાર્ય દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

Related posts

“ઓમ મરી મરી ને જીવવું ઇના કરતો ભગવોન લઇ લે તો હારું”……..

mahagujarat

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

mahagujarat

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

અમદાવાદના ‘આર.બી.ઝેડ’-હરિત ઝવેરી 100 કરોડનો આઇ.પી.ઓ. લાવી રહ્યા છે

museb

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

Leave a Comment