Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

“ઓમ મરી મરી ને જીવવું ઇના કરતો ભગવોન લઇ લે તો હારું”……..


આવું કહી મોતની વાટ જોતા નરસંગ દાદાને મળવાનું થયું. લગભગ ૭૦ વર્ષની ઉમર હશે. શરીર ઉપર એક પોતળી વીટેલી. જવાનીમાં ખુબ મહેનતના કારણે અત્યારે હાથ પગ થાકેલા હોય એવું લાગ્યું અને કઈ થતું ના હોવા છતાં દાદાની સેવા કરતા દાદી બાજુમાં ઉભા હતા…..
અમને જોઈ દાદાએ પોતાની કથની કહેવાની શરુ કરી…ત્યારે અમે પુછ્યું દાદા આમ, મરવાની વાત કેમ કરતા હતા….? ત્યારે દાદા રડી પડ્યા અને કહેવા લાગ્યા હું ઓના માથે પડ્યો સુ હવ મારાથી કોઈ કોમ થતું નથી , આખો દિવસ ખાટલામાં પડ્યો રહું સુ. કોઈ સહારો નથી એક ભેંસ રાખી ઘરનું પૂરું કરીએ સીએ પણ એનું કામ ય જમ તમ કરીએ સીએ . તેમની આંખોમાં નર્યો નિઃસાસો વર્તાતો હતો . કોઈ છોરું નહી હોવાનું દુઃખ પણ દેખાતું હતું ..થોડીવાર તો અમે પણ એમના સામે જોતા બેસી રહ્યા.. પછી અમે દાદાને કહ્યું દર મહિને તમને રાશન આપી જઈશું તો ચાલશે….? આવું કહી તેમના સામે રાશનકીટ મૂકી બંને જોઇને ભાવવિભોર થઇ ગયા અને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા.. ભગવોન તમારું હારું કરશે તમે અમ નીરાધારોનો આશરો બન્યા.
પછી તો જાણે એક ‘માં’ પોતાના દીકરાની ટપાલની વાટ જોઇને બેઠી હોય એમ કાગ ડોળે બંને અમારી વાટ જોઇને બેઠા હોય…….અને અમને કહે હવે કોઈ ચિંતા નથી. જાણે અમોને અમારો દીકરો મળી ગયો હોય એવું લાગ સ બુન . છેલ્લા બે વર્ષથી અમે આ બા દાદાને દર મહીને રાશન આપીએ છીએ, પરંતુ જયારે રાશન આપવા જઈએ અને દાદા સાથે વાતો ના કરીએ એવું ના બને પરંતુ, હવે તો અમારો એ સંવાદ બંધ થયો દાદાનું અવસાન થયું. અમારા સંવાદનું તો ઠીક પણ દાદીનો સંવાદ તૂટી ગયો એનું દુઃખ છે. હવે દાદી એકલા થઇ ગયા.. પણ દર મહીને દાદીને રાશન આપીશું.અને મળીશું પણ ખરા …
યોગાંજલિ આશ્રમ સિદ્ધપુર દ્વારા દર મહીને આવા ૧૦૦થી વધુ માવતરોને દાતાના સહયોગથી રાશન સહાય આપવામાં આવે છે. જેની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. આપ પણ નિમિત બની શકો છો.
વધુ માહિતી માટે આપ ૯૮૯૮૬૦૨૩૨૫ પર સંપર્ક કરી શકો છો.

જીજ્ઞાબેન દવે દ્વારા

Related posts

પાટણ-મહેસાણા-ગોઝારીયા ફોરલેન નેશનલ હાઇવે-ઓવબ્રીજોનું કામ ગોકળ ગાય ગતીએ : 1100 કરોડનો પ્રોજેક્ટ અણઘડનીતિના કારણે અટવાયો

mahagujarat

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ : ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

mahagujarat

શહેર ભાજપ દ્વારા સંપર્કથી સમર્થન કાર્યક્રમ. શહેરના વિવિધ અગ્રણીઓની મુલાકાત લીધી

mahagujarat

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

mahagujarat

Pin-up KZ регистрация аккаунта и вход в личный кабинет игрока играть в казино онлайн | Официальный сайт

Admin

હરીદ્વારની પાવન ભૂમિમાં આચાર્ય શ્રી દિલીપભાઇ શાસ્ત્રીના વ્યાસપીઠે શ્રીમંદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન

mahagujarat

Leave a Comment