January 13, 2025
Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીયશિક્ષણ

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય વર્ષિકોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો

શિવ શક્તિ નુ અર્ધનારેશ્વર સ્વરૂપ અને બાલ ગણેશ થીમ ઉપર યોજવામાં આવ્યો

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ તથા ધાર્મિક આસ્થા નવી પેઢીમાં ઊજાગર થાય તેવી પ્રણાલીને પ્રોત્સાહન આપવાના હેતુસર તા.૨૮-૧૨-૨૦૨૪ ને શનિવાર “બાલ ગણેશ – કથા વિઘ્નહર્તા કી”તથા તા.૨૯-૧૨-૨૦૨૪ ને રવિવાર “શિવ-શકિત – તપ ત્યાગ તાંડવ” બે દિવસીય ભવ્ય વાર્ષિક ઉત્સવ (Annual Function) ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધૂમધામથી મનાવવામાં આવ્યો. પહેલા દિવસે તા.૨૮-૧૨-૨૦૨૪ ને શનિવારના રોજ બાલવાટિકા થી ધોરણ ૪ સુધીના બાળકો દ્વારા “બાલ ગણેશ – કથા વિઘ્નહર્તા કી” ભગવાન શ્રીગણેશની બાળલીલાઓ પ્રસ્તુત કરવામાં આવી.

દરેક પ્રસંગોની સુંદર રીતે રજૂઆત કરવામાં આવી.બીજા દિવસે તા.૩૦-૧૨-૨૦૨૪ ને રવિવારના રોજ ધોરણ ૪ થી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા “શિવ – શકિત – તપ ત્યાગ તાંડવ” –  આદિ-યોગી શિવ, શિવ-શક્તિ વિવાહ, મા સતી દ્વારા અગ્નિસ્નાન,  ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ દ્વારા શક્તિપીઠની સ્થાપના, ૫૧ શક્તિપીઠની મહિમા, માં ગંગા ઉદભવ, ભગવાન શિવનું અર્ધનારેશ્વર સ્વરૂપ  વગેરે પ્રસંગો દ્વારા શિવ-શક્તિની મહિમા પ્રસ્તુત કરવામાં આવી. આમ ભગવાન શિવની મહિમા જોઈ  સંપૂર્ણ વાતાવરણ શિવમય બની ગયું.બે દિવસમાં 8,000 થી વધુ લોકોએ આ વાર્ષિકોત્સવ  નિહાળ્યો.આ ભવ્ય કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવવા બદલ એનજીઈએસ મેનેજમેન્ટ ના પ્રો. જય ધ્રુવ અને આચાર્યશ્રી દ્વારા શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ,સહ કર્મચારીઓ, વાલીગણ, ઉપસ્થિત મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Related posts

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

પાટણથી આવતી – જતી ટ્રેનોનું સમય પત્રક….

mahagujarat

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

mahagujarat

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો.

mahagujarat

પાટણનાં જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાન સેમિનાર યોજાયો

museb

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

mahagujarat

Leave a Comment