Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

“ઓમ મરી મરી ને જીવવું ઇના કરતો ભગવોન લઇ લે તો હારું”……..


આવું કહી મોતની વાટ જોતા નરસંગ દાદાને મળવાનું થયું. લગભગ ૭૦ વર્ષની ઉમર હશે. શરીર ઉપર એક પોતળી વીટેલી. જવાનીમાં ખુબ મહેનતના કારણે અત્યારે હાથ પગ થાકેલા હોય એવું લાગ્યું અને કઈ થતું ના હોવા છતાં દાદાની સેવા કરતા દાદી બાજુમાં ઉભા હતા…..
અમને જોઈ દાદાએ પોતાની કથની કહેવાની શરુ કરી…ત્યારે અમે પુછ્યું દાદા આમ, મરવાની વાત કેમ કરતા હતા….? ત્યારે દાદા રડી પડ્યા અને કહેવા લાગ્યા હું ઓના માથે પડ્યો સુ હવ મારાથી કોઈ કોમ થતું નથી , આખો દિવસ ખાટલામાં પડ્યો રહું સુ. કોઈ સહારો નથી એક ભેંસ રાખી ઘરનું પૂરું કરીએ સીએ પણ એનું કામ ય જમ તમ કરીએ સીએ . તેમની આંખોમાં નર્યો નિઃસાસો વર્તાતો હતો . કોઈ છોરું નહી હોવાનું દુઃખ પણ દેખાતું હતું ..થોડીવાર તો અમે પણ એમના સામે જોતા બેસી રહ્યા.. પછી અમે દાદાને કહ્યું દર મહિને તમને રાશન આપી જઈશું તો ચાલશે….? આવું કહી તેમના સામે રાશનકીટ મૂકી બંને જોઇને ભાવવિભોર થઇ ગયા અને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા.. ભગવોન તમારું હારું કરશે તમે અમ નીરાધારોનો આશરો બન્યા.
પછી તો જાણે એક ‘માં’ પોતાના દીકરાની ટપાલની વાટ જોઇને બેઠી હોય એમ કાગ ડોળે બંને અમારી વાટ જોઇને બેઠા હોય…….અને અમને કહે હવે કોઈ ચિંતા નથી. જાણે અમોને અમારો દીકરો મળી ગયો હોય એવું લાગ સ બુન . છેલ્લા બે વર્ષથી અમે આ બા દાદાને દર મહીને રાશન આપીએ છીએ, પરંતુ જયારે રાશન આપવા જઈએ અને દાદા સાથે વાતો ના કરીએ એવું ના બને પરંતુ, હવે તો અમારો એ સંવાદ બંધ થયો દાદાનું અવસાન થયું. અમારા સંવાદનું તો ઠીક પણ દાદીનો સંવાદ તૂટી ગયો એનું દુઃખ છે. હવે દાદી એકલા થઇ ગયા.. પણ દર મહીને દાદીને રાશન આપીશું.અને મળીશું પણ ખરા …
યોગાંજલિ આશ્રમ સિદ્ધપુર દ્વારા દર મહીને આવા ૧૦૦થી વધુ માવતરોને દાતાના સહયોગથી રાશન સહાય આપવામાં આવે છે. જેની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. આપ પણ નિમિત બની શકો છો.
વધુ માહિતી માટે આપ ૯૮૯૮૬૦૨૩૨૫ પર સંપર્ક કરી શકો છો.

જીજ્ઞાબેન દવે દ્વારા

Related posts

પાટણ રીજીયોનલ સાયન્સ સેન્ટરને મુંબઇના પ્રફુલ શાહે એન્ટીક કેમેરાઓની ભેટ આપી

mahagujarat

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ITI ખાતે યોજાયો…..

museb

યોગાંજલિ કેળવણી મંડળમાં ગુજરાત સેવા સેતુ દ્વારા પાટણ ,બનાસકાંઠા અને મહેસાણાની સ્વૈચ્છિક સંસ્થાઓની તાલીમ યોજાઈ

mahagujarat

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

mahagujarat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે

mahagujarat

Leave a Comment