Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે


આ વર્ષે યજમાન પરિવાર દ્વારા ભગવાનનું ભવ્ય મામેરું ભરાશે : યજમાન પરિવારના નિવાસસ્થાનેથી શોભાયાત્રા નિકળશે

સમગ્ર ભારત ભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ ની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તારીખ 20 જૂનના રોજ નીકળનાર છે. રથયાત્રાને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પાટણ શહેરના ભગવાન જગન્નાથજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાન જગન્નાથજીની આ 141મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાને અનુલક્ષીને તારીખ 18 જૂન ના રોજ ભગવાન ના મામેરાનો લાભ લેનાર આ વખતે યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલે લીધો છે. તેમના ભગવતીનગર ખાતેના નિવાસ્થાને ભગવાનનું મામેરુ લોક દર્શનાર્થે પાથરવામાં આવશે. આ મામેરામા 3 મુગટ, 3 સેટ, સોળશણગાર, રૂ.1.71 લાખ રોકડ, 750 ગ્રામ ચાંદી, રેશમી કપડાં, પીતાંબર સહિતનું ભગવાનનું મામેરુ ભરાશે. જે મામેરૂ તા. તા. 19 જુનના રોજ યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઈ પટેલના ભગવતી નગર ખાતેના નિવાસ


સ્થાનેથી સાંજે 5:00 કલાકે વાજતે ગાજતે સણગારેલી બગીમાં મામેરું નીકળશે. જે શહેરના બગવાડા દરવાજા, હિગળાચાચર થઈ ને ભગવાન જગન્નાથજી ના મંદિર ખાતે આવશે, જયાં મામેરાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ઉપસ્થિત ભક્તો દ્વારા ભવ્ય સામૈયુ કરાશે.


ભગવાન શ્રી જગન્નાથજીની 141મી રથયાત્રા ના મામેરા સહિત વિષ્ણુયાગ તેમજ અન્ય આયોજિત ધાર્મિક પ્રસંગનો લાભ લેવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ક્ધવીનર પિયુષભાઈ આચાર્ય દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે.

Related posts

પાટણનાં નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો દ્વિદિવસીય સંગીત સમારોહ યોજાશે

mahagujarat

પાટણ ખમાર જ્ઞાતિ દ્રારા માતાજીના વરઘોડાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

mahagujarat

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યુવાનો માટે નવું કૌશલ્ય અભિયાન….

mahagujarat

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત NGES કેમ્પસમાં યુવા રોજગારલક્ષી સ્વાવલંબન કેન્દ્રની શુભ શરૂઆત

mahagujarat

લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત 9,80,000/ નવ લાખ એંસી હજાર રૂપિયાનું ABG (Arterial Blood Gas) મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું.

mahagujarat

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

museb

Leave a Comment