Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યશિક્ષણ

પાટણની ધ્વનિ સંગીત પરિવારના પ્રમુખ પદે અશોક વ્યાસની પુન: વરણી

મંત્રીપદે અતુલ નાયક અને ટ્રેઝરર તરીકે અશ્ર્વિન નાયકની પણ પુન: વરણી

તાજેતરમાં મળેલી ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટની સામાન્ય સભામાં પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના ઉપાસક અન વિદ્વાન સાહિત્યકાર અશોકભાઇ વ્યાસ (દાદા) ની સંસ્થાના પ્રમુખ પદે પુન: વરણી કરવામાં આવી હતી. તેઓ સંગીત અને પાટણનો ઇતિહાસ બન્નેના તજજ્ઞ છે. તારીખ ૦૮/૦૮/૨૦૨૪ ના રોજ મળેલી કારોબારી સભામાં સંસ્થાના ઉપપ્રમુખ પદે કાનજીભાઈ પટેલ તથા નટવરસિંહ ચાવડા, અને મંત્રી તરીકે અશોકભાઈ વ્યાસ અતુલભાઈ નાયક અશ્વિનભાઇ નાયકલ અતુલભાઈ નાયક, ખજાનચી તરીકે  અશ્વિનભાઇ નાયક અને સહમંત્રી તરીકે આત્મારામભાઈ નાયી તથા મહાસુખલાલ મોદી અને ઇન્ટરનલ ઓડિટર તરીકે વિનોદભાઇ કડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તદુપરાંત આ સંસ્થાના વર્ષ ૨૦૨૪-૨૫ના કારોબારી સભ્યો તરીકે ડો. શૈલેષભાઇ સોમપુરા, ડો. સ્મિતાબેન વ્યાસ, ડો. આરતીબેન પટેલ, ડો. પારસભાઇ ખમાર, ડો. વિરલભાઇ શાહ, ડો. વિમલભાઇ ખમાર, વિજયભાઇ ભાવસાર, પરિમલભાઈ રામી, સુરેશભાઈ નાયી, મૃગેશભાઇ રાવલ, પિયુષભાઈ ખમાર, રમેશચંદ્ર ઠક્કર, ઇશ્વરભાઈ પરમાર, શીતલબેન રાજપૂત, હરેશભાઇ નાથ, નૈમેશભાઈ ગાંધી, મયંકભાઈ ગાંધી, ઉષાબેન શાહની વરણી કરવામાં આવી હતી.

પાટણના લબ્ધપ્રતિષ્ઠિત મહાનુભાવોનું બનેલું. ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ સહિત સમગ્ર ઉતર ગુજરાતની ગીત-સંગીતમાં રસ ધરાવતી તમામ વ્યક્તિઓને શાસ્ત્રીય ઢબે તૈયાર કરીને, તેમને યોગ્ય મંચ પૂરો પાડીને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તૈયાર થયેલી પ્રતિભાઓને રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીયકક્ષાએ યોગ્ય રીતે રજૂ કરીને હરિફાઇમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે.

સંસ્થા પોતે વર્ષમાં બે-ત્રણ કાર્યક્રમોનું આયોજન કરીને નિવડેલા તથા તાલિમ લઇ રહેલા છાત્રોને પોતાની કલા રજૂ કરવાનો મોકો પણ આપે છે. આ સંસ્થા હવે પોતાનો વ્યાપ વધારીને નવી-નવી પ્રતિભાઓને બહાર લાવવા સતત પ્રયત્નશીલ છે.

Related posts

પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે

museb

પાટણની નર્તન નૃત્ય કલા સંસ્થાનો ‘નૃત્યોપાસના’ કાર્યક્રમ યોજાયો

museb

પાટણ નીરજ સેવા ટ્રસ્ટ દ્રારા ઓવરબ્રિજ પર અકસ્માત ની સંભાવનાને લઈ બહિગોળ લેન્સો લગાવવાની કામગીરી નો પ્રારંભ કરાયો..

mahagujarat

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

“સ્વસ્થ મન, ઉજ્જવળ ભવિષ્ય” — બીઆઈપીએસમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સેમિનાર

mahagujarat

Leave a Comment