Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યશિક્ષણ

પાટણની ધ્વનિ સંગીત પરિવારના પ્રમુખ પદે અશોક વ્યાસની પુન: વરણી

મંત્રીપદે અતુલ નાયક અને ટ્રેઝરર તરીકે અશ્ર્વિન નાયકની પણ પુન: વરણી

તાજેતરમાં મળેલી ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટની સામાન્ય સભામાં પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના ઉપાસક અન વિદ્વાન સાહિત્યકાર અશોકભાઇ વ્યાસ (દાદા) ની સંસ્થાના પ્રમુખ પદે પુન: વરણી કરવામાં આવી હતી. તેઓ સંગીત અને પાટણનો ઇતિહાસ બન્નેના તજજ્ઞ છે. તારીખ ૦૮/૦૮/૨૦૨૪ ના રોજ મળેલી કારોબારી સભામાં સંસ્થાના ઉપપ્રમુખ પદે કાનજીભાઈ પટેલ તથા નટવરસિંહ ચાવડા, અને મંત્રી તરીકે અશોકભાઈ વ્યાસ અતુલભાઈ નાયક અશ્વિનભાઇ નાયકલ અતુલભાઈ નાયક, ખજાનચી તરીકે  અશ્વિનભાઇ નાયક અને સહમંત્રી તરીકે આત્મારામભાઈ નાયી તથા મહાસુખલાલ મોદી અને ઇન્ટરનલ ઓડિટર તરીકે વિનોદભાઇ કડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તદુપરાંત આ સંસ્થાના વર્ષ ૨૦૨૪-૨૫ના કારોબારી સભ્યો તરીકે ડો. શૈલેષભાઇ સોમપુરા, ડો. સ્મિતાબેન વ્યાસ, ડો. આરતીબેન પટેલ, ડો. પારસભાઇ ખમાર, ડો. વિરલભાઇ શાહ, ડો. વિમલભાઇ ખમાર, વિજયભાઇ ભાવસાર, પરિમલભાઈ રામી, સુરેશભાઈ નાયી, મૃગેશભાઇ રાવલ, પિયુષભાઈ ખમાર, રમેશચંદ્ર ઠક્કર, ઇશ્વરભાઈ પરમાર, શીતલબેન રાજપૂત, હરેશભાઇ નાથ, નૈમેશભાઈ ગાંધી, મયંકભાઈ ગાંધી, ઉષાબેન શાહની વરણી કરવામાં આવી હતી.

પાટણના લબ્ધપ્રતિષ્ઠિત મહાનુભાવોનું બનેલું. ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ સહિત સમગ્ર ઉતર ગુજરાતની ગીત-સંગીતમાં રસ ધરાવતી તમામ વ્યક્તિઓને શાસ્ત્રીય ઢબે તૈયાર કરીને, તેમને યોગ્ય મંચ પૂરો પાડીને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તૈયાર થયેલી પ્રતિભાઓને રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રીયકક્ષાએ યોગ્ય રીતે રજૂ કરીને હરિફાઇમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે.

સંસ્થા પોતે વર્ષમાં બે-ત્રણ કાર્યક્રમોનું આયોજન કરીને નિવડેલા તથા તાલિમ લઇ રહેલા છાત્રોને પોતાની કલા રજૂ કરવાનો મોકો પણ આપે છે. આ સંસ્થા હવે પોતાનો વ્યાપ વધારીને નવી-નવી પ્રતિભાઓને બહાર લાવવા સતત પ્રયત્નશીલ છે.

Related posts

શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્રારા નવીન બનનાર ચંદ્ર-કૃષ્ણા હોલનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

mahagujarat

શહેર ભાજપ દ્વારા સંપર્કથી સમર્થન કાર્યક્રમ. શહેરના વિવિધ અગ્રણીઓની મુલાકાત લીધી

mahagujarat

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલની નિયુકિત કરવામાં આવી

museb

પાટણના 200 વષૅ જુના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિ- દિવસીય ઉજવણી કરાશે

museb

માઁનો પરિવાર દ્વારા યોજાયેલ નાટક “આજ જાને કી જીદ ના કરોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

mahagujarat

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી

mahagujarat

Leave a Comment