Maha Gujarat
Other

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

25થી વધુ ઝાંખીઓ સાથે શોભાયાત્રા નીકળશે

પાટણના જગન્નાથ મંદિર પરિસરથી આગામી 29મી એપ્રિલે ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નીકળશે. શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ, શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
શોભાયાત્રા સમિતિના ક્ધવીનર અને મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ આજે જણાવ્યું હતું કે, આ માટે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 27 એપ્રિલે શાળાના બાળકો માટે લેખન સ્પર્ધા યોજાશે. 28 એપ્રિલે આનંદ ગરબા મંડળનું આયોજન કરાયેલ છે. એજ દિવસે રાત્રે હેરિટેજ કરાઓકે ગ્રુપ દ્વારા ત્રણ કલાક સુધી હનુમાન ચાલીસાનું પઠન થશે.
29મી એપ્રિલે સવારે 8:30 કલાકે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે જગદીશ મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની ચાંદી મઢિત રથમાં બિરાજમાન ફોટો પ્રતિમા સાથે 25થી વધુ ઝાંખીઓ જોડાશે. પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની ફોટો પ્રતિમા સાથેનો ટેબ્લો પણ આ શોભાયાત્રામાં સામેલ કરાશે.
આ શોભાયાત્રાના માર્ગ પર 11 જેટલા સેવા કેમ્પો કાર્યરત રહેશે. યાત્રા જગન્નાથ મંદિરથી નીકળી હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, પુન: હિંગળાચાચર, મેઈન બજાર અને ધીવટા નાકા થઈને જગન્નાથ મંદિર પરત ફરશે. પાટણ શહેરના અઢારે વર્ણના સમાજો અને 25થી વધુ સેવાકીય સંસ્થાઓને શોભાયાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે, તેવું પિયુષભાઇ આચાર્યએ વધુમાં જણાવ્યું હતું.

Related posts

પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર

museb

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

mahagujarat

શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરીનું ગંગાબા રોજગાર કેન્દ્ર

mahagujarat

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો

museb

એક તેજસ્વી યુવતી પ્રિયા રાજેશભાઇ શાહ સાથે ખાસ મુલાકાત

museb

આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

museb

Leave a Comment