Maha Gujarat
Other

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

25થી વધુ ઝાંખીઓ સાથે શોભાયાત્રા નીકળશે

પાટણના જગન્નાથ મંદિર પરિસરથી આગામી 29મી એપ્રિલે ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નીકળશે. શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ, શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા દ્વારા આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
શોભાયાત્રા સમિતિના ક્ધવીનર અને મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ આજે જણાવ્યું હતું કે, આ માટે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 27 એપ્રિલે શાળાના બાળકો માટે લેખન સ્પર્ધા યોજાશે. 28 એપ્રિલે આનંદ ગરબા મંડળનું આયોજન કરાયેલ છે. એજ દિવસે રાત્રે હેરિટેજ કરાઓકે ગ્રુપ દ્વારા ત્રણ કલાક સુધી હનુમાન ચાલીસાનું પઠન થશે.
29મી એપ્રિલે સવારે 8:30 કલાકે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે જગદીશ મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની ચાંદી મઢિત રથમાં બિરાજમાન ફોટો પ્રતિમા સાથે 25થી વધુ ઝાંખીઓ જોડાશે. પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની ફોટો પ્રતિમા સાથેનો ટેબ્લો પણ આ શોભાયાત્રામાં સામેલ કરાશે.
આ શોભાયાત્રાના માર્ગ પર 11 જેટલા સેવા કેમ્પો કાર્યરત રહેશે. યાત્રા જગન્નાથ મંદિરથી નીકળી હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ, જુનાગંજ બજાર, પુન: હિંગળાચાચર, મેઈન બજાર અને ધીવટા નાકા થઈને જગન્નાથ મંદિર પરત ફરશે. પાટણ શહેરના અઢારે વર્ણના સમાજો અને 25થી વધુ સેવાકીય સંસ્થાઓને શોભાયાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે, તેવું પિયુષભાઇ આચાર્યએ વધુમાં જણાવ્યું હતું.

Related posts

પાટણથી આવતી – જતી ટ્રેનોનું સમય પત્રક….

mahagujarat

NGES કેમ્પસમાં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવી

museb

લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

mahagujarat

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય વર્ષિકોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો

museb

પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ પ્રેરીત પાટણના ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને દફતર સહિતની કીટનું વિતરણ કરાયું

mahagujarat

પાટણની નર્તન નૃત્ય ક્લા સંસ્થા દ્વારા ચિ. અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી ભરત નાટ્યમ્ આરંગત્રમ્ની પ્રસ્તુતિ હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કરાશે

museb

Leave a Comment