Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યશિક્ષણ

પાટણના દ્વારકાધિશ મંદિરના પ્રાંગણમાં આવેલું અનોખું “દ્વારકેશ પુસ્તકાલય આજે અનેક વૈષ્ણવો લાભ લે છે

પાટણના તૃતિય પીઠાધિશ્ર્વર શ્રી દ્વારકાધિશ મંદિર દ્વારા “વાંચે વૈષ્ણવ, વંચાવે વૈષ્ણવના સંદેશા સાથે “શ્રી દ્વારકેશ પુષ્ટિ માર્ગી પુસ્તકાલય મંદિરના પ્રાંગણમાં મુખ્યગેટ પાસે શરૂ કરવામાં આવેલ છે. આ પુસ્તકાલયમાં હસમુખભાઇ સોની સેવાઓ આપી રહ્યા છે. આજથી લગભગ દોઢ વર્ષ પહેલા પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશ કુમારજી મહારાજશ્રીએ આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી આશિર્વાદ પ્રદાન કરેલ. વૈષ્ણવ સૃષ્ટિ માટે પુષ્ટિમાર્ગને લગતા અનેક પુસ્તકો, મેગેજીનો, ધાર્મિક ગ્રંથો આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. વૈષ્ણવોને આ પુસ્તકો ફ્રી વાંચવા આપવામાં આવે છે, રૂબરૂ આવી કે સગાસંબંધીઓ મારફત પણ પુસ્તકો વિગેરે વાંચવા મંગાવી શકાય છે. છેલ્લા દોઢ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ પુસ્તકાલયનો લાભ લીધો છે. પાટણની પ્રખ્યાત ફત્તેસિંહરાવ લાયબ્રેરી દ્વારા પણ આ પુસ્તકાલયને માર્ગદર્શન મળી રહ્યું છે. પાટણના દ્વારકાધિશ મંદિરના ટ્રસ્ટીઓ કૌશિક બી. સોની, ચિનુભાઇ એ. સોની, જશુભાઇ ટી. પટેલ દ્વારા પ્રોત્સાહન અને સહકાર મળે છે. આ પુસ્તકાલયનો વધુને વધુ લોકો લાભ લે તે માટે આ પુસ્તકાલયમાં સેવા આપતા હસમુખભાઇ જે. સોનીએ અપિલ કરી છે.

Related posts

હાલ ૨૦ એપ્રિલથી ૩૦ જૂન સુધી દોડશે આખરે પાટણ-ભિલડી લોકલ ટ્રેનનો પ્રારંભ થયો

mahagujarat

સત્તાધારી ભાજપની આબરૂના ધજાગરા પાટણ પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો

mahagujarat

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો

museb

પાટણ જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયને (IAS) પદભાર સંભાળ્યો

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

Leave a Comment