Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યશિક્ષણ

પાટણના દ્વારકાધિશ મંદિરના પ્રાંગણમાં આવેલું અનોખું “દ્વારકેશ પુસ્તકાલય આજે અનેક વૈષ્ણવો લાભ લે છે

પાટણના તૃતિય પીઠાધિશ્ર્વર શ્રી દ્વારકાધિશ મંદિર દ્વારા “વાંચે વૈષ્ણવ, વંચાવે વૈષ્ણવના સંદેશા સાથે “શ્રી દ્વારકેશ પુષ્ટિ માર્ગી પુસ્તકાલય મંદિરના પ્રાંગણમાં મુખ્યગેટ પાસે શરૂ કરવામાં આવેલ છે. આ પુસ્તકાલયમાં હસમુખભાઇ સોની સેવાઓ આપી રહ્યા છે. આજથી લગભગ દોઢ વર્ષ પહેલા પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશ કુમારજી મહારાજશ્રીએ આ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી આશિર્વાદ પ્રદાન કરેલ. વૈષ્ણવ સૃષ્ટિ માટે પુષ્ટિમાર્ગને લગતા અનેક પુસ્તકો, મેગેજીનો, ધાર્મિક ગ્રંથો આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. વૈષ્ણવોને આ પુસ્તકો ફ્રી વાંચવા આપવામાં આવે છે, રૂબરૂ આવી કે સગાસંબંધીઓ મારફત પણ પુસ્તકો વિગેરે વાંચવા મંગાવી શકાય છે. છેલ્લા દોઢ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ પુસ્તકાલયનો લાભ લીધો છે. પાટણની પ્રખ્યાત ફત્તેસિંહરાવ લાયબ્રેરી દ્વારા પણ આ પુસ્તકાલયને માર્ગદર્શન મળી રહ્યું છે. પાટણના દ્વારકાધિશ મંદિરના ટ્રસ્ટીઓ કૌશિક બી. સોની, ચિનુભાઇ એ. સોની, જશુભાઇ ટી. પટેલ દ્વારા પ્રોત્સાહન અને સહકાર મળે છે. આ પુસ્તકાલયનો વધુને વધુ લોકો લાભ લે તે માટે આ પુસ્તકાલયમાં સેવા આપતા હસમુખભાઇ જે. સોનીએ અપિલ કરી છે.

Related posts

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા

mahagujarat

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

museb

પાટણ યુનિવર્સિટી દ્વારા 359 વિધાર્થીઓને 444 ગોલ્ડ મેડલ અને બે વિદ્વાનો ને ડી- લીટ ની પદવી એનાયત કરાશે..

museb

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી અને મંત્રી તરીકે અલ્પેશ એમ. પટેલની નિમણુંક

mahagujarat

ચાણસ્મા હોસ્પિટલ સંકુલ માટે પી.એસ. પટેલ દ્વારા 1.51 કરોડનું દાન

mahagujarat

પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે

museb

Leave a Comment