
આજે નૂતન વિનય મંદિર અને ધોરણ એકમાં તથા નવ માં નવા બાળકોના માટે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં દાખલ થનાર તમામ બાળકોનું ઉષ્માભરું સ્વાગત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જૈન આચાર્ય પરમ પૂજ્ય ચારિત્ર્ય વિજય મારા સાહેબ આશીર્વાદ આપ્યા અને બાળકોને ખુબ સુંદર રીતે પ્રવચન આપીને બાળકોને પ્રભાવિત કર્યા સાથે સાથે શાળાના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપે અને તેમનું ભવિષ્ય થાય એટલા માટે એમને પણ આશીર્વાદ રતન આપ્યા છે ખુબ સુંદર આયોજન કર્યું છે આજે સૌ મિત્રોને સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આ ઉપરાંત મારા સાહેબ શ્રી શાળાના આચાર્યશ્રીની ઓફિસમાં જઈને તેમને પણ આશિર્વચન આપ્યા હતા. આજના સમયે આ સંસ્થામાં ખૂબ જ જરૂરીયાત મંદ બાળકો અભ્યાસ કરે છે અને જેના મા-બાપ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એવા બાળકોને સંસ્થામાં શિક્ષણ આપવામાં આવે છે આજે બાળકોને દફતર આપવામાં આવ્યા નોટબુકો પણ આપવામાં આવી જે નમૂના રૂપ છોકરાઓને આપ્યા છે આખી સંસ્થાને દરેક બાળકને આજે જે પુસ્તકો અને નોટબૂકો દફ્તરો જે કંઈ આપ્યું છે તે શાળાના દરેક બાળકને આપવામાં આવનાર છે આ ઉપરાંત આ સંસ્થામાં સરકારશ્રી તરફથી મધ્યાન ભોજન નો કાર્યક્રમ પણ ચાલતો હોય છે ત્યારે મધ્યાન ભોજન તરફથી ધોરણ એક થી આઠ સુધીના તમામ બાળકોને રસ પુરી નું જમણ આપવામાં આવશે જેથી બાળકોને આનંદ પણ રહેશે આજનો કાર્યક્રમ ખૂબ સુંદર હતો આ તબક્કે દર વર્ષે દરેક શાળામાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ટ્રસ્ટ તરફથી એમના ટ્રસ્ટીઓ તરફથી પહેલા ધોરણના બાળકોને જે દફતર આપવામાં આવે છે તેમને પણ યાદ કરી સ્મરણ કરી અને તેમના આદર્શો કાયમ જીવંત રહે તેવી અપેક્ષા.

