Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજ્યશિક્ષણ

નૂતન વિનય મંદિર પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ જેમાં ચારિત્ર વિજય મહારાજ સાહેબ શ્રી પરમ પૂજ્ય ગુરુજી આશીર્વાદ આપી બાળકોને સુંદર આશિર્વચન આપ્યા


આજે નૂતન વિનય મંદિર અને ધોરણ એકમાં તથા નવ માં નવા બાળકોના માટે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં દાખલ થનાર તમામ બાળકોનું ઉષ્માભરું સ્વાગત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જૈન આચાર્ય પરમ પૂજ્ય ચારિત્ર્ય વિજય મારા સાહેબ આશીર્વાદ આપ્યા અને બાળકોને ખુબ સુંદર રીતે પ્રવચન આપીને બાળકોને પ્રભાવિત કર્યા સાથે સાથે શાળાના શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપે અને તેમનું ભવિષ્ય થાય એટલા માટે એમને પણ આશીર્વાદ રતન આપ્યા છે ખુબ સુંદર આયોજન કર્યું છે આજે સૌ મિત્રોને સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આ ઉપરાંત મારા સાહેબ શ્રી શાળાના આચાર્યશ્રીની ઓફિસમાં જઈને તેમને પણ આશિર્વચન આપ્યા હતા. આજના સમયે આ સંસ્થામાં ખૂબ જ જરૂરીયાત મંદ બાળકો અભ્યાસ કરે છે અને જેના મા-બાપ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એવા બાળકોને સંસ્થામાં શિક્ષણ આપવામાં આવે છે આજે બાળકોને દફતર આપવામાં આવ્યા નોટબુકો પણ આપવામાં આવી જે નમૂના રૂપ છોકરાઓને આપ્યા છે આખી સંસ્થાને દરેક બાળકને આજે જે પુસ્તકો અને નોટબૂકો દફ્તરો જે કંઈ આપ્યું છે તે શાળાના દરેક બાળકને આપવામાં આવનાર છે આ ઉપરાંત આ સંસ્થામાં સરકારશ્રી તરફથી મધ્યાન ભોજન નો કાર્યક્રમ પણ ચાલતો હોય છે ત્યારે મધ્યાન ભોજન તરફથી ધોરણ એક થી આઠ સુધીના તમામ બાળકોને રસ પુરી નું જમણ આપવામાં આવશે જેથી બાળકોને આનંદ પણ રહેશે આજનો કાર્યક્રમ ખૂબ સુંદર હતો આ તબક્કે દર વર્ષે દરેક શાળામાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ટ્રસ્ટ તરફથી એમના ટ્રસ્ટીઓ તરફથી પહેલા ધોરણના બાળકોને જે દફતર આપવામાં આવે છે તેમને પણ યાદ કરી સ્મરણ કરી અને તેમના આદર્શો કાયમ જીવંત રહે તેવી અપેક્ષા.

Related posts

પાટણ નગરના સ્થાપના ૧૨૮૦મા દિનની ઉજવણી : શોભાયાત્રા યોજાઇ

museb

પાટણના પારેવા સર્કલ થી ખાલકશા પીર રોડની હાલત સુધારો.

mahagujarat

‘રેડ ક્રોસ આપના દ્વારે ‘માનવતા એ જ અમારો ધર્મ કાર્યક્રમ યોજયો

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા

mahagujarat

શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરીનું ગંગાબા રોજગાર કેન્દ્ર

mahagujarat

Leave a Comment