Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાષ્ટ્રીયશિક્ષણ

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસીએશન પાટણ દ્વારા શાળા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

પાટણ શહેરની સો વર્ષથી પણ વધારે વર્ષ પૂર્ણ કરી ચૂકેલી એકમાત્ર શાળા ડૉ. પંડ્યા અભ્યાસ ગૃહમાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્યલક્ષી તપાસ અર્થે આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસીએશન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહયોગી તરીકે પાટણની અગ્રવાલ હોસ્પિટલ અને શ્રીમંત ફત્તેહસિંહરાવ પુસ્તકાલય પણ જોડાયા હતા. આ કેમ્પમાં સેવા આપનાર તબીબોમાં ઉ.ગુ. યુવક મંડળના પ્રમુખ અને સિનિયર તબીબ ડૉ. જે.કે. પટેલ, એસોસીએશનના મંત્રી તથા કેમ્પના કો.ઓર્ડિનેટર ડૉ. અતુલ અગ્રવાલ, સિનિયર ફિઝીશિયન અને કાર્ડિયોલોજીસ્ટ ડૉ. જે.જે. ઠક્કર, સર્જન ડૉ. અમિત અગ્રવાલ, બાળરોગ નિષ્ણાત ડૉ. સુીનતા અમિત અગ્રવાલ, દાંતના નિષ્ણાત ડૉ. હેમલ કાટવાલા, યુરોલોજિસ્ટ ડૉ. સાહિલ અતુલ અગ્રવાલ, આંખના નિષ્ણાત ડૉ. આયુષી સાહિલ અગ્રવાલ, જનરલ ફિઝિશિયન તરીકે ડૉ. વીરલ પી. શાહ અને ડૉ. શૈલેષ સોમપુરાએ ખૂબ જ ધીરજપૂર્વક અને ખાસ કાળજીપૂર્વક અથાગ સેવાઓ આપી હતી.

આ પ્રસંગે ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસીએશનના પ્રમુખ અશોકભાઇ વ્યાસ, ઉપપ્રમુખ હર્ષદભાઇ ખમાર, હેમંતભાઇ કાટવાલા, અજયભાઇ ખમાર, હર્ષદભાઇ ઠક્કર, સુનિલભાઇ સોની વિગેરેેએ ઉપસ્થિત રહી આરોગ્ય તપાસ કેમ્પની સફળતા માટે સરાહનીય કામગીરી બજાવી હતી. શ્રીમંત ફત્તેહસિંહરાવ પુસ્તકાલયના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરા, અશ્ર્વિનભાઇ નાયક, સુનિલ પાગેદાર, રાજુભાઇ પરીખ, હસમુખભાઇ સોની વગેરેએ પણ આ કેમ્પમાં હાજર રહી સેવાઓ આપી હતી.

શાળાના આચાર્ય શ્રીમતી જશોદાબેન પટેલ તથા શાળાના શિક્ષણ સ્ટાફના ભાઇઓ અને બહેનોએ પણ ખડે પગે ઊભા રહી બાળકોના આરોગ્યની તપાસ શિસ્તપૂર્વક થાય એ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી. તપાસલક્ષી કાર્યક્રમ પૂરો થયા પછી શાળાના તમામ બાળકો અને સ્ટાફમિત્રોને સરસ મજાનો ગરમાગરમ મિષ્ટાન સાથે નાસ્તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને દાતાશ્રી ડૉ. મયંકભાઇ જાની તરફથી કરાવવામાં આવ્યો હતો.

Related posts

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

mahagujarat

ધ્વનિ સંગીત પરિવાર દ્વારા કૃષ્ણભક્તિમાં રસ તરબોળ કરી દેતો ‘શ્રીકૃષ્ણ: શરણં મમ્’ કાર્યક્રમ યોજાયો

museb

અમદાવાદના ‘આર.બી.ઝેડ’-હરિત ઝવેરી 100 કરોડનો આઇ.પી.ઓ. લાવી રહ્યા છે

museb

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ : ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

mahagujarat

ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે

mahagujarat

અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમી હાઈવેને રૂ. 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય બનાવાશે, કેબિનેટ બેઠકમાં મંજૂરી

mahagujarat

Leave a Comment