હરીઓમ ગૌશાળા અનાવાડાના લાભાર્થે ભવ્ય આયોજન
અનાવાડા સ્થિત ગૌશાળાની ટીમે પોરબંદર થઇ પૂ. ભાઇશ્રીના આશિર્વાદ મેળવ્યા

પાટણ ખાતે આગામી પહેલી ડિસેમ્બર થી સાતમી ડિસેમ્બર સુધી બિમાર અને અશક્ત ગૌ માતાની હોસ્પિટલ તથા ગૌશાળા (હરિ ઓમ ગૌશાળા અનાવાડા)ના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથા માટે વિશ્ર્વ પ્રસિદ્ધ ભાગવત્ કથાકાર પૂ.પૂ. શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈ શ્રી)ના પોરબંદર સ્થિત સાંદિપની મંદિર ખાતે પાટણ ગૌશાળાની ટીમને વિધિવત આમંત્રણ આપી પ.પૂ. રમેશભાઈ ઓઝાના સ્વ હસ્તે શ્રીફળ, પત્ર આપી કથા માટે પૂ.ભાઈ શ્રીએ વિધિવત સંમતિ આપી.
પ.પૂ. રમેશભાઈ ઓઝાએ સંપૂર્ણ કથા આયોજન વિશે ઝીણવટભરી માહિતી મેળવી ખુશી વ્યક્ત કરી હતી. ગૌશાળાના કાર્યકર્તાઓએ ભાગવત સપ્તાહ સંપૂર્ણ સફળ બનાવવા માટે ભાઈશ્રીના આશીર્વાદ મેળવ્યા તથા આશ્રમ સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી.

આગામી સમયમાં પાટણ ની હરીઓમ ગૌશાળા આગવી ઓળખ ઉભી કરી સંપૂર્ણ ગુજરાતમાં ક્યારેય ન થઈ હોય એવી ભવ્ય કથાનું આયોજન કરવા સૌના પ્રયત્નો કરવાની પૂ. ભાઇશ્રીને ખાત્રી આપેલ. બીમાર ગાયોની સારવાર માટે હજારો દાતાઓના સહયોગથી આ ગૌશાળાને વધારે અધ્યતન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરેલ.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા આગામી દિવસોમાં ભવ્ય તૈયારીઓ કરનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
