Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજ્ય

પાટણના ખોડાભા હોલ ખાતે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-૨૦૨૫ નું આયોજન કરાયું..

હેરિટેજ ગરબા માં ખૈલેયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસકોડ ફરજિયાત..

પાટણ-ઉઝા હાઈવે માર્ગ પર આવેલા ખોડાભા હોલ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા ચાલું સાલે હેરિટેજ થીમ સાથે હેરિટેજ ગરબા-૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રીની આવક માંથી અબોલ પશુઓની સેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. ખોડાભા હોલના વિશાળ ગ્રીનરી મેદાનમાં ખેલૈયા ઓની સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવામાં આવશે.પાંચ ગન મેન, પાંચ બાઉન્સર્સ, સહિત લેડીઝ અને જેન્ટ્સ સિક્યુરિટિ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે. માત્ર પરંપરાગત પોશાકમાં આવનારા ખેલૈયાઓને જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે.

રાજસ્થાની સાઉન્ડ સિસ્ટમ અને ઉત્સવ ઓર્કેસ્ટ્રા સાથે પ્રખ્યાત કલાકારો દસ દિવસ સુધી રાસગરબાની રમઝટ બોલાવશે. તા.૧૭ સપ્ટેમ્બરે રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી શક્તિ વંદના પ્રાચીન બેઠક ગરબાનું  પણ આયોજન કરાયું છે, જેમાં સૌરાષ્ટ્રના ત્રણ કલાકારો ભદ્રસિહ ગોહિલ,રવિ મારૂં અને મિલન રાઠોડ પ્રાચીન ગરબાનું મહત્વ સમજાવશે.

ખેલૈયાઓની સુવિધા માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા પ્રવેશ ટિકિટ રૂ.૨૦૦ રાખવામાં આવી છે. ગરબાનો સમય રાત્રે ૯ થી ૧૨ નો રાખવામાં આવ્યો છે .ખેલૈયાઓની સુરક્ષા માટે ક્લબમાં સ્પેશિયલ મેડિકલ કેમ્પ, ICU વાન અને ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ રહેશે. આ હેરિટેજ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમની માહિતી આપવા ખોડાભા હોલ ખાતે શનિવારે આયોજિત કરવામાં આવેલ પ્રેસ બેઠકમાં હેરિટેજ નવરાત્રી મહોત્સવના ઓર્ગેનાઇઝર ચિરાગભાઈ પટેલ, ભૌમિક પટેલ, હર્ષ પટેલ, અંકિત ભટ્ટી અને ધવલ રાવલ સહિત મિડિયા પ્રતિનિધિ યશપાલ સ્વામી સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસીએશન પાટણ દ્વારા શાળા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

museb

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

mahagujarat

પાટણની નર્તન નૃત્ય ક્લા સંસ્થા દ્વારા ચિ. અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી ભરત નાટ્યમ્ આરંગત્રમ્ની પ્રસ્તુતિ હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કરાશે

museb

નૉર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની મંજૂરી

mahagujarat

પાટણ-ભીલડી રેલ જોડાણ પછી હવે રૂા. 34 કરોડના ખર્ચે પાટણ રેલ્વે સ્ટેશનનું નવસર્જન-આધુનિકરણ થઇ રહ્યું છે

mahagujarat

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

Leave a Comment