Maha Gujarat
Other

લણવા જવાહર નવોદય વિધાલયનું બિલ્ડીંગ ભયજન

બિલ્ડીંગ રીપેરીંગના બદલે નવી બનાવવાની રજુઆત સાથે કલેકટરને આવેદનપત્ર અપાયુ

આ કેન્દ્રીય વિદ્યાલયનું નામ જવાહર સાથે જોડાયેલું છે, તેથી આ સરકારને રસ ક્યાંથી હોય?

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા સ્થિત જવાહર નવોઘ્ય વિદ્યાલય (જેએનવી)ની બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં છે. નવી બિલ્ડિંગ બનાવવાને બદલે માત્ર રિપેરિંગ કામ શરૂ કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક નવી બિલ્ડિંગનું કામ શરૂ કરવાની માંગ કરી છે. જો આ દિશામાં નક્કર નિર્ણય નહીં લેવાય, તો ઉગ્ર આંઘેલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

લણવા જેએનવીમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં હોવા અંગે વાલીઓએ અગાઉ ૨૮/૦૮/૨૦૨૫ ના રોજ પણ રજૂઆત કરી હતી. સીપીડબલ્યુડી, એનઆઈટી કુરુક્ષેત્ર અને એનબીસીસી જેવી  સંસ્થાઓની સંયુક્ત તપાસમાં આ બિલ્ડિંગને ’અનસેફ’ જાહેર કરાઈ  છે. આ સંસ્થાઓએ નવી બિલ્ડિંગ માટે અંઘજે ૪૯.૯૩ કરોડનો પ્લાન રજૂ કર્યો હતો. તેમ છતાં, એનવીએસ હેડક્વાર્ટર દ્વારા ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ માત્ર ૨૫.૨૦ મ કરોડના ’સ્પેશિયલ રિપેર’નો ઓર્ડર મ અપાયો છે. વાલીઓનો આક્ષેપ છે કે નિષ્ણાતો દ્વારા અનસેફ જાહેર કરાયેલી બિલ્ડિંગમાં માત્ર રિપેરિંગ કરવું એ બાળકોના જીવ સાથે ચેડા સમાન છે.

ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) દ્વારા પણ આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે. વિદ્યાલયના આચાર્યએ પણ ૨૦/૦૧/૨૦૨૬ ના રોજ પત્ર   લખીને કલેકટરને વાલીઓના વિરોધ અને સ્થિતિની ગંભીરતા વિશે જાણ કરી હતી. વાલીઓની મુખ્ય માંગ છે કે બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક નવી બિલ્ડિંગનું કામ શરૂ કરાય અને ત્યાં સુધી વૈકલ્પિક સુરક્ષિત વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. વાલીઓએ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બનશે, તો તેની સંપૂર્ણ નૈતિક અને કાયઘકીય જવાબઘરી જિલ્લા પ્રશાસન અને સંબંધિત વિભાગની રહેશે.

Related posts

મણુંદ-સંડેર બાદ બાલીસણામાં ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન

museb

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા લાખો ભક્તોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય નિકળશે

mahagujarat

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

museb

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાટણ સેન્ટર સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે

museb

Leave a Comment