Maha Gujarat
Other

આજે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી.ના દિને યશવિલા સોસાયટીમાં હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

સ્વર સંગીત મ્યુઝીકલ ક્લબના કલાકારોએ હનુમાન ચાલીસા ના પાઠ સાથે ભજનોની રમઝટ બોલાવી

પાટણના સ્વર સંદીપ મ્યુઝિકલ કલબ દ્વારા આજે હનુમાન જયંતીના દિવસે શ્રી હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા ના ભવ્ય કાર્યક્રમનું હેમંત સી. કાટવાલા ,રાજુભાઈ સી. કાટવાલા અને નિરવ સુરેશભાઇ ખમાર ના પરિવાર દ્વારા યશવીલા સોસાયટી, પદ્મનાથ ચાર રસ્તા નજીક આવેલા તેમના નિવાસસ્થાને યોજવામાં આવેલ.

પાટણના જાણીતા કલાકાર સંદીપ ખત્રી તથા તેમના સાથી કલાકાર વૃદ ઘ્વારા સંગીતના સૂરો સાથે હનુમાન ચાલીસા ના પાઠ સહિત સુંદર ભજનોની રમઝટ બોલાવવામાં આવેલ. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યા માં સ્નેહી ,સંબંધી, શુભેચ્છકો, ભારત વિકાસ પરિષદના સભ્યો, ખમાર જ્ઞાતિ સમાજ ના સભ્યો, યસ વિલા સોસાયટી ના રહીશો પરિવાર સહિત ઉપસ્થિત રહી આ કાયૅકમ માં સહભાગી બનેલ. શ્રી હનુમાનજીની આરતી બાદ કાર્યક્રમ પૂર્ણ થયેલ. આજે હેમંત સી. કાટવાલા ના ઘર્મ પત્ની કેતકી બેન નો જન્મદિન હતો. જન્મદિનની ઉજવણી કરી સૌ એ શુભેચ્છા ઓ પાઠવી હતી .

 

Related posts

અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી એ ચાણસ્મા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

museb

પાટણના જિલ્લા કલેકટરશ્રી એ પાટણનાં વિશ્ર્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી : કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અભિભૂત થયા

museb

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓ ઇકો બ્રિક્સ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત પાટણ” અભિયાનમાં જોડાયા

museb

પાટણના લેઉઆ પાટીદાર સમાજના બે સગા ભાઈઓના હૃદય રોગના હુમલો આવતા અકાળે દુ:ખદ અવસાન

mahagujarat

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

Leave a Comment