Maha Gujarat
Other

શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

પાટણના શ્રી રામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે શુભેચ્છા આપવા માટેનો કાર્યક્રમ યોજાયો

પાટણના શ્રીરામ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ રહીમ અન્ન ક્ષેત્રની પ્રવૃત્તિ દ્વારા પાટણના ભૂખ્યાજને રોજ એક ટંક ભર પેટ ભોજન આપવામાં આવે છે જેનો ખૂબ મોટી સંખ્યામાં ગરીબ મધ્યમ વર્ગ ના અનેક પરિવારો અને લાભ લે છે .આ પ્રવૃત્તિ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના પુરક શિક્ષણ ના વર્ગો છેલ્લા 18 વર્ષથી ચલાવવામાં આવે છે. આ વર્ગમાં અભ્યાસ કરતી ગરીબ, મધ્યમ વર્ગની દીકરીઓને વર્ષ દરમિયાન નિષ્ણાત શિક્ષકોની મદદથી ફ્રી ટ્યુશન આપવામાં આવે છે.

ચાલુ વર્ષે આ વર્ગમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરીઓને આગામી આવતી પરીક્ષા માટે શુભેચ્છા આપવાનો કાર્યક્રમ આજે સંસ્થાના ભવનમાં, આ સંસ્થાના મુખ્ય ભવનના દાતા, પરિવારના સભ્ય શ્રી રજનીભાઇ સાડેસરાના પ્રમુખસ્થાને યોજાયેલ.

આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી યતીનભાઈ ગાંધી, આ પુરક શિક્ષણ વર્ગોના ચેરમેન હર્ષદભાઈ ખમાર, કારોબારી સભ્ય શ્રી શંકરભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. આગામી પરીક્ષા આ વિદ્યાર્થીનીઓ શાંતિથી કેવી રીતે આપી શકે અને પરીક્ષા અને પરીક્ષામાં શું ધ્યાન રાખવું તેની ટિપ્સ આપવા  ‘‘કી નોટ સ્પીકર’’ તરીકે પાટણના હેમ. ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં સહઅધ્યાપક તરીકે સેવા આપતા ડૉ. નિસર્ગ ખમારે હાજર રહી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી સુંદર માર્ગદર્શન અને માહિતી આપેલ.

મેનેજિંગ ટ્રસ્ટી યતિનભાઇ ગાંધી એ સંસ્થાની પ્રવૃત્તિઓને અને હર્ષદભાઈ ખમારે આ પુરક શિક્ષણના વર્ગોનો અહેવાલ આપેલ. શ્રી રજનીભાઈ સાંડેસરા એ આશીર્વાદ આપી તેમને આપ વર્ગ માટે સુંદર કાંસ્ય ની શ્રી સરસ્વતી માતાની પ્રતિમા પણ ભેટ આપી આપી હતી. દરેક દીકરીઓને રોજ સરસ્વતી માતા નું ગાન  અને પૂજન કરવા તેમણે સૂચન કરેલ. તેમના તરફથી દરેક દીકરીઓને બોલપેનના સેટ નંગ બે પણ અપાયેલ. સંસ્થા તરફ મિષ્ઠાન સાથે  સુંદર નાસ્તો આપી દીકરીઓને શુભેચ્છા અને આશીર્વાદ અપાયેલ.

Related posts

સ્વર સંદીપ મ્યુઝિકલ કલબના સંગીત સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

museb

પાટણના નગરદેવીના મંદિરમાં અનોખો દીપોત્સવી મહોત્સવ યોજાશે

mahagujarat

પાટણના એક્ટીવ ગ્રૃપ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી રસીલાબેન જયંતિલાલ સાંડેસરા એક્ટીવ સીકબેડ સેન્ટર અને સેવા ભવનનું વાસ્તુપૂજન અને દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાશે

mahagujarat

લણવા જવાહર નવોદય વિધાલયનું બિલ્ડીંગ ભયજન

mahagujarat

પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ પ્રેરીત પાટણના ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને દફતર સહિતની કીટનું વિતરણ કરાયું

mahagujarat

શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ

museb

Leave a Comment