Maha Gujarat
Other

શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

પાટણના શ્રી રામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ રહીમ પૂરક શિક્ષણના વર્ગોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે શુભેચ્છા આપવા માટેનો કાર્યક્રમ યોજાયો

પાટણના શ્રીરામ પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ રહીમ અન્ન ક્ષેત્રની પ્રવૃત્તિ દ્વારા પાટણના ભૂખ્યાજને રોજ એક ટંક ભર પેટ ભોજન આપવામાં આવે છે જેનો ખૂબ મોટી સંખ્યામાં ગરીબ મધ્યમ વર્ગ ના અનેક પરિવારો અને લાભ લે છે .આ પ્રવૃત્તિ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના પુરક શિક્ષણ ના વર્ગો છેલ્લા 18 વર્ષથી ચલાવવામાં આવે છે. આ વર્ગમાં અભ્યાસ કરતી ગરીબ, મધ્યમ વર્ગની દીકરીઓને વર્ષ દરમિયાન નિષ્ણાત શિક્ષકોની મદદથી ફ્રી ટ્યુશન આપવામાં આવે છે.

ચાલુ વર્ષે આ વર્ગમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરીઓને આગામી આવતી પરીક્ષા માટે શુભેચ્છા આપવાનો કાર્યક્રમ આજે સંસ્થાના ભવનમાં, આ સંસ્થાના મુખ્ય ભવનના દાતા, પરિવારના સભ્ય શ્રી રજનીભાઇ સાડેસરાના પ્રમુખસ્થાને યોજાયેલ.

આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી યતીનભાઈ ગાંધી, આ પુરક શિક્ષણ વર્ગોના ચેરમેન હર્ષદભાઈ ખમાર, કારોબારી સભ્ય શ્રી શંકરભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. આગામી પરીક્ષા આ વિદ્યાર્થીનીઓ શાંતિથી કેવી રીતે આપી શકે અને પરીક્ષા અને પરીક્ષામાં શું ધ્યાન રાખવું તેની ટિપ્સ આપવા  ‘‘કી નોટ સ્પીકર’’ તરીકે પાટણના હેમ. ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં સહઅધ્યાપક તરીકે સેવા આપતા ડૉ. નિસર્ગ ખમારે હાજર રહી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી સુંદર માર્ગદર્શન અને માહિતી આપેલ.

મેનેજિંગ ટ્રસ્ટી યતિનભાઇ ગાંધી એ સંસ્થાની પ્રવૃત્તિઓને અને હર્ષદભાઈ ખમારે આ પુરક શિક્ષણના વર્ગોનો અહેવાલ આપેલ. શ્રી રજનીભાઈ સાંડેસરા એ આશીર્વાદ આપી તેમને આપ વર્ગ માટે સુંદર કાંસ્ય ની શ્રી સરસ્વતી માતાની પ્રતિમા પણ ભેટ આપી આપી હતી. દરેક દીકરીઓને રોજ સરસ્વતી માતા નું ગાન  અને પૂજન કરવા તેમણે સૂચન કરેલ. તેમના તરફથી દરેક દીકરીઓને બોલપેનના સેટ નંગ બે પણ અપાયેલ. સંસ્થા તરફ મિષ્ઠાન સાથે  સુંદર નાસ્તો આપી દીકરીઓને શુભેચ્છા અને આશીર્વાદ અપાયેલ.

Related posts

પાટણની શ્રી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

mahagujarat

સ્વર સંદીપ મ્યુઝિકલ કલબના સંગીત સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

museb

પાટણ યુનિવર્સિટી દ્વારા 359 વિધાર્થીઓને 444 ગોલ્ડ મેડલ અને બે વિદ્વાનો ને ડી- લીટ ની પદવી એનાયત કરાશે..

museb

પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સ્થાપિત સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી તથા આશ્રમ દ્વારા તૈયાર થયેલ ચાર પુસ્તકોનું વિમોચન કરાયું

museb

આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

museb

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગીરીશભાઇ રાજગોરનો પદગ્રહણ સમારંભ યોજાયો

mahagujarat

Leave a Comment