Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ભારતની પ્રખ્યાત કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સ્થાપક સ્વ. શ્રી ઇન્દ્રવદનભાઇ આઇ. મોદીની પૂણ્યસ્મૃતિમાં ધોળકા ખાતે આવેલ કેડિલા ફાર્માના પરિસરમાં સનાતન ધર્મ ધામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવેલ છે.

કેડીલાના સ્થાપક શ્રી ઇન્દ્રવદનભાઇ મોદીની પૂણ્ય સ્મૃતિમાં મંદિરનું નિર્માણ

અન્નપૂર્ણા સ્વરૂપા શ્રીમતી શીલાબેન મોદી તથા સ્વનામ ધન્યયોગી શ્રી ઇન્દ્રવદનભાઇ મોદીની પૂણ્યસ્મૃતિમાં નિર્મિત સનાતનધર્મ મંદિર પરિસમાં શ્રી ઇન્દ્રશીલેશ્ર્વર મહાદેવ, વિઘ્નહર્તા ભગવાન શ્રીગણેશ, પુણ્યશ્ર્લોકશ્રી રામદરબાર, પતિત પાવન શ્રી રાધાકૃષ્ણ તથા માં અંબાનું સુંદર ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે. આ મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૧ થી ૧૩ માર્ચ ૨૦૨૩ એમ ત્રણ દિવસ માટે આયોજિત કરાયેલ છે.

ત્રણ દિવસના આ મહોત્સવમાં નગરયાત્રા-જલયાત્રા, યજ્ઞ, પ્રાસાદ વાસ્તુપૂજન, શિખર સ્નપન, ત્રીજા દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સહિત મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.

Related posts

પાટણ નગરપાલિકાના પ્રમુખ પદે ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલની વરણી

mahagujarat

માઁનો પરિવાર દ્વારા યોજાયેલ નાટક “આજ જાને કી જીદ ના કરોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

mahagujarat

Betplay Casino Bono Sin Depósito: Jugar Casino en Línea en España

Admin

પાટણમાં માઁ પરિવાર દ્વારા રાધે રાસોત્સવનું ભવ્ય આયોજન કરાશે

mahagujarat

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES)ને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ISO 21001:2018 પ્રમાણપત્ર મળ્યું

mahagujarat

પાટણના નગરદેવીના મંદિરમાં અનોખો દીપોત્સવી મહોત્સવ યોજાશે

mahagujarat

Leave a Comment