Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાષ્ટ્રીય

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ભારતની પ્રખ્યાત કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સ્થાપક સ્વ. શ્રી ઇન્દ્રવદનભાઇ આઇ. મોદીની પૂણ્યસ્મૃતિમાં ધોળકા ખાતે આવેલ કેડિલા ફાર્માના પરિસરમાં સનાતન ધર્મ ધામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવેલ છે.

કેડીલાના સ્થાપક શ્રી ઇન્દ્રવદનભાઇ મોદીની પૂણ્ય સ્મૃતિમાં મંદિરનું નિર્માણ

અન્નપૂર્ણા સ્વરૂપા શ્રીમતી શીલાબેન મોદી તથા સ્વનામ ધન્યયોગી શ્રી ઇન્દ્રવદનભાઇ મોદીની પૂણ્યસ્મૃતિમાં નિર્મિત સનાતનધર્મ મંદિર પરિસમાં શ્રી ઇન્દ્રશીલેશ્ર્વર મહાદેવ, વિઘ્નહર્તા ભગવાન શ્રીગણેશ, પુણ્યશ્ર્લોકશ્રી રામદરબાર, પતિત પાવન શ્રી રાધાકૃષ્ણ તથા માં અંબાનું સુંદર ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે. આ મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૧ થી ૧૩ માર્ચ ૨૦૨૩ એમ ત્રણ દિવસ માટે આયોજિત કરાયેલ છે.

ત્રણ દિવસના આ મહોત્સવમાં નગરયાત્રા-જલયાત્રા, યજ્ઞ, પ્રાસાદ વાસ્તુપૂજન, શિખર સ્નપન, ત્રીજા દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સહિત મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે.

Related posts

પાટણથી આવતી – જતી ટ્રેનોનું સમય પત્રક….

mahagujarat

અનાવાડા ગામે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ

mahagujarat

ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે “The Power of Early Years Parenting” વિષયક વર્કશોપનું આયોજન

mahagujarat

સત્તાધારી ભાજપની આબરૂના ધજાગરા પાટણ પાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર વચ્ચે આક્ષેપો પ્રતિઆક્ષેપો

mahagujarat

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા સંસ્થાના 62મા સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

museb

Leave a Comment