Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્ય

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો.

પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને જાગૃત સેવક લાલેશભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કરે દેહ દાન આપવાનો સંકલ્પ જાહેર કર્યો. અંગદાન મહાદાન કહેવાય છે તો દેહ દાન અંતિમ મહાદાન કહેવાય છે પાટણના અગ્રણી ભાઈઓ જગદીશભાઈ ઠક્કર, લાલેશભાઈ ઠક્કર તથા વિપુલભાઈ ઠક્કર ના પિતાશ્રી દલપતભાઈ ઠક્કર ઉંમર વર્ષ 86 એ પોતાના મૃત્યુ પર્યાપ્ત પોતાનું દેહદાન આપવાનો સંકલ્પ જાહેર કરેલ છે .આ અંગેનું સંમત્તિ પત્ર- સંકલ્પ પત્ર એમણે ધારપુર મેડિકલ કોલેજને સોંપી દીધેલ છે. સમાજને દાખલ રૂપ આ હકીકત તો છે જ, પરંતુ સાથે પ્રેરણાદાયી પણ છે. સમાજ ના લોકો નું હીત સદાય પોતાના હૈયે રાખનાર દલપતભાઈ સમાજ સેવા માટે હંમેશા તત્પર રહા છે. પોતાની જૈફ ઉંમરે પણ તેઓ શ્રી સમાજ ને લગતી હિતકારી પ્રવૃત્તિઓમાં સદાય પ્રવૃત્ત રહે છે. પોતાના મૃત્યુ પછી પણ સમાજના કામમાં આવવું ,એટલું જ નહીં પણ ઉપયોગી થઈ પડવું એવી પણ મોટી બીજી સમાજ સેવા કઈ હોઈ શકે? “જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી” સમાજ હંમેશા દલપતભાઈ નો રૂણી રહેશે દલપતભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ. (અશોકભાઈ વ્યાસ દ્વારા)

Related posts

ઉત્તર ગુજરાત કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી અને બેંક ફેડરેશન દ્વારા મહેસાણા ખાતે લીગલ અને ટેક્સેશન સેમિનાર યોજાયો.

mahagujarat

શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું

museb

અમૃત ભારત યોજના હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાશે

mahagujarat

પાટણ-મહેસાણા-ગોઝારીયા ફોરલેન નેશનલ હાઇવે-ઓવબ્રીજોનું કામ ગોકળ ગાય ગતીએ : 1100 કરોડનો પ્રોજેક્ટ અણઘડનીતિના કારણે અટવાયો

mahagujarat

પાટણ-કાંસા-ભિલડી રેલ જોડાણ : કાંસા ગામે કોઇ અગત્યની ટ્રેનો ઉભી રહેતી નથી : એકાદ બે ટ્રેનોનું સ્ટોપેજ આપવા કાંસા સહિત આજુબાજુના ૩૦ જેટલા ગામડાના આગેવાનો-ગ્રામજનોની રેલમંત્રી સમક્ષ રજૂઆત

mahagujarat

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

mahagujarat

Leave a Comment