Maha Gujarat
OtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે


મંદિરમાં બ્રહ્મસબંધ દિક્ષા આપશે : ભગવાન જગદીશની રથયાત્રામાં ભાગ લેશે અને આર્શિવચન પાઠવશે

અષાઢી બીજની ભગવાન જગદીશની પાટણમાં નિકળનારી 141મી રથયાત્રા નિમિત્તે પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રી પાટણ પધારી રથયાત્રાને પ્રસ્થાન કરાવી સમગ્ર રથયાત્રામાં ઉપસ્થિત રહેશે, જેના કારણે વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે. પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગીશકુમારજી મંગળવારે વહેલી સવારે 7-00 કલાકે પાટણના દ્વારકાધિશ મંદિરમાં પધારશે. સવારે તેઓશ્રી બ્રહ્મસબંધ દિક્ષા પણ આપશે. બપોરે મંદિરમાં કુલમંડળીનો મનોરથ યોજાશે. બાદ રથયાત્રાના કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે શયનમાં પૂ.શ્રીની ઉપસ્થિતિમાં મંદિરમાં નાવનો મનોરથ યોજાશે. તેઓશ્રીના પાટણના એક દિવસના કાર્યક્રમથી પાટણની વૈષ્ણવ સૃષ્ટિમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે.

 

Related posts

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

તૃતીય પીઠાધિશ્ર્વર પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશબાવાની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભંડારનું વાસ્તુપુજન, છપ્પનભોગ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

mahagujarat

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

સિધ્ધપુરમાં પીવાના પાણીનો સપ્લાય કરતી નગરપાલિકાની પાઈપો માંથી મળેલા માનવ અંગો ગૂમ થયેલી યુવતિ લવીના હરવાણીના જ હતા

mahagujarat

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

પાટણના પારેવા સર્કલ થી ખાલકશા પીર રોડની હાલત સુધારો.

mahagujarat

Leave a Comment